જાણો જામનગરના સિનિયર કોર્પોરેટર એ કોરોનાના દર્દીઓ માટે શું કર્યું…!?
રિપોર્ટ:જગત રાવલ
૧૦ ઓગસ્ટ,જામનગર રોગી કલ્યાણ સમિતિને નોવેલ કોરોના વાઇરસના સક્રમનની સારવાર માટે જામનગરના પૂર્વ મેયર અને હાલ વોર્ડ ૩ના સિનિયર કોર્પોરેટર દિનેશભાઇ પટેલ દ્વારા તેમની સભ્યશ્રી ની ગ્રાન્ટ માંથી રૂપિયા ૮,૫૩,૧૮૫ ની રકમ ફાળવવામાં આવી હતી.
જામનગરની ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલના સુપરિટેન્ડન ડો તિવારીને રોગી કલ્યાણ સમિતિ કોરોનાના દર્દીઓની સારવાર માટે નો ચેક શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાસભાઇ જોષી, જાડા ના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા,જિલ્લા ભાજપના ડો વિનોદભાઈ ભંડેરી અને જેમની ગ્રાન્ટ માંથી રકમ ફાળવવામાં આવી તે કોર્પોરેટર દિનેશભાઇ પટેલ વિગેરે હાજર રહ્યા હતા.