ભુજ – બરેલી સ્પેશિયલના સંચાલન (Train time) સમયમાં બદલાવ
ભુજ – બરેલી સ્પેશિયલના સંચાલન (Train time) સમયમાં બદલાવ
અમદાવાદ , ૧૬ માર્ચ: Train time: અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ-સામાખ્યાલી-પાલનપુર સ્ટેશનો વચ્ચે બમણીકરણ કાર્યને કારણે 18 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી ટ્રેન નંબર 04322 ભુજ-બરેલી સ્પેશિયલ અમદાવાદ ડિવિઝન પર પરિવર્તિત (Train time) સમય સાથે ચાલશે.જેની વિગતો નીચે મુજબ છે:
Train time: ટ્રેન નંબર 04322 ભુજ – બરેલી સ્પેશિયલ ભુજથી 17:50 કલાકે ચાલીને, 18:22 કલાકે અંજાર, 18:34 કલાકે આદિપુર, 18:55 કલાકે ગાંધીધામ, 19:47 કલાકે ભચાઉ, 20:08 કલાકે સામાખ્યાલી, 21:13 કલાકે સાંતલપુર, 21:43 કલાકે રાધનપુર, 22:15 કલાકે દિયોદર, 22:38 કલાકે ભીલડી, 22:56 કલાકે ડીસા અને 00:30 કલાકે પાલનપુર પહોંચીને બરેલી માટે રવાના થશે.