વિક્રમ ભટ્ટની બિસાત(BISAAT_KHEL SHATARANJ KA…)નું ટ્રેઈલર થયું રીલિઝઃ આ મર્ડર મિસ્ટરીના બધા એપિસોડ ફ્રીમાં શકાશે ફક્ત આ એપ પર
વેબ સિરિઝનો રસીકો માટે નવી મર્ડર મિસ્ટ્રી વાળી રોમાંચક સિરિઝ(BISAAT_KHEL SHATARANJ KA…) તમે જોઇ શકશો ફ્રીમાં આજે જોઇ લો ટ્રેલર
મુંબઈ, 10 એપ્રિલઃ અણધાર્યા વળાંકો, વિચારતાં કરી મૂકનારાં રહસ્યો અને બેઠક સાથે જકડી રાખનારું સસ્પેન્સ- પીઢ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટે હત્યારો ખરેખર કોણ છે એ તમને વિચારી મૂકતી હુડનઈટ્સને જીવંત ઘડી કાઢવાની કળામં નિપુણતા હાંસલ કરી છે. તેનો ધ્યેય ક્યારેય નિરાશ કરતો નથી અને આ દિગ્ગજ હવે એમએક્સ ઓરિજિનલ સિરીઝ બિસાત(BISAAT_KHEL SHATARANJ KA…) સાથે પાછા આવી રહ્યા છે. તેઓ હવે દર્શકો માટે સંદીપા ધર અને ઓમકાર કપૂર દ્વારા મથાળા હેઠળની રોચક મર્ડર મિસ્ટરી લઈને આવી રહ્યા છે. તેના બધા એપિસોડ એમએક્સ પ્લેયર પર 15 એપ્રિલથી આરંભ કરતાં મફતમાં જોઈ શકાશે.
ખતરનાક ગોપનીયતાની ખોજ કરતાં આ 8 એપિસોડની સિરીઝ(BISAAT_KHEL SHATARANJ KA…) દર્દીના મુદ્દાઓને ઉકેલવા માટે વધુ જહેમત લેતા સાઈકિયાટ્રિસ્ટ ડો. કિયાના વર્મા (સંદીપા ધર)ના જીવનનું પગેરું મેળવે છે. તેની પાસે રાધિકા કપૂર (લીના જુમાની) નામે એક મહિલાનો નવો કેસ કન્સલ્ટિંગ માટે આવે છે, જે તેના પતિ અને વેપારી દિગ્ગજ યશ કપૂર (ખાલીદ સિદ્દિકી) સાથે વંઠેલા સંબંધોની ફરિયાદ કરે છે. કિયાના તેના દર્દીઓને ક્લિનિકની ચાર દીવાલોની બહાર પણ મદદરૂપ થવાનો સ્વભાવ ધરાવતી હોવાથી તે હોસ્પિટલ અને તેના પતિ ડો. અભિજિત જોશી (ઓમકાર કપૂર)ની સલાહ વિરુદ્ધ જઈને યશના જીવનમાં ઊંડાણમાં ઊતરવાનું શરૂ કરે છે. ટૂંક સમયમાં જ યશ કપૂરની તેના બીચ હાઉસમાં ક્રૂરતાથી હત્યા થાય છે અને સર્વ પુરાવા ડો. કિયાના વર્મા તરફ અંગુલીનિર્દેશ કરે છે. આ પછી નવા નવા ખુલાસા, બ્લેકમેઈલ અને યશ કપૂરની હત્યા ખરેખર કોણે કરી તેનો રોમાંચક પીછો શરૂ થાય છે. ડો. કિયાનાની સચ્ચાઈ ખરેખર શું છે- પ્યાદું, લક્ષ્ય કે પછી ગુનેગાર?
આ સિરીઝ(BISAAT_KHEL SHATARANJ KA…) વિશે વાત કરતા વિક્રમ ભટ્ટ કહે છે, થ્રિલર પ્રકાર તરીકે હંમેશાં મને દર્શક તરીકે મોહિત કરતો રહ્યો છે, જેથી હું તેને મોટે ભાગે સ્ક્રીન પર પ્રદર્શિત કરતો આવ્યો છું. વાર્તાકાર તરીકે મને તણાવને મહત્તમ સપાટીએ લઈ જવાનું અને મારાં પાત્રોના પ્રવાસમાં દર્શકોને જોડવાનું ગમે છે. બિસાત ટ્રિકી ગેમ છે, જેમાં ખુલાસા, ઉચ્ચ હોડ અને ભાવનાત્મક ભંગાણ છે, જે તમને અણધાર્યું ધારવા માટે મજબૂર કરશે. કલાકારોએ બહુ સારું કામ કર્યું છે અને મને આશા છે કે દરેક સાથે ફરી વાર કામ કરવાનો મોકો મળશે.
સંદીપા ધર કહે છે, વિક્રમ સર સાથે કામ કરવાની કોઈ ના કઈ રીતે પાડી શકે? વાર્તાકથનની તેમની શૈલી બહુ જ મજેદાર છે અને તેમની વાર્તા જૂઠ, દગો અને અધીરાઈના રોચક જાળામાં ગૂંથેલી હોય છે, જે સ્ક્રીન પર ઝળકી ઊઠે છે. આ ભૂમિકા માટે ભરપૂર તૈયારી કરવી પડી અને હું હંમેશાં ચાર્જડ રહેતી હોવાથી અને સુસજ્જ રહેતી હોવાથી ડો. કિયાનીની ભૂમિકા માટે મારે બહુ જ શાંતિ રાખવી પડી હતી. શૂટ શરૂ કરવા પૂર્વે મારા આ સ્વભાવ પર મેં એક મહિના સુધી કામ કર્યું હતું અને આ મારો માટે ઉત્તમ શીખ રહી છે.
ઓમકાર કપૂર કહે છે, આ સિરીઝ(BISAAT_KHEL SHATARANJ KA…) ખરેખર મારે માટે બહુ વિશેષ છે. સૌપ્રથમ તેની સ્ક્રિપ્ટ અને બીજું અદભુત વાર્તાકાર અને ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે કામ કરવાનો મોકો ઉપરાંત વધુ માટે કોઈ પૂછી નહીં શકે. તેઓ કલાકારોમાંથી શ્રેષ્ઠતમ લાવવા માટે જાણીતા છે અને આ પ્રોજેક્ટનો હિસ્સો બનવાની તેથી જ મને બેહદ ખુશી છે. આ સિરીઝમાં જિયા મુસ્તફા, કોરલ ભામરા, અસ્મિતા બક્ષી, ત્રિશાન મૈની, તન્વી ઠક્કર મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે
આ પણ વાંચો….