પરેશ રાવલ(Paresh rawal)ના નિધનના સમાચારની અફવા જાહેર થતા, અભિનેતાએ આપ્યો આવો જવાબ- વાંચીને તમને પણ હસવુ આવશે…!
બોલિવુડ ડેસ્ક, 15 મેઃ બોલિવુડના સુપરહિટ ઍક્ટરમાંથી એક એવા પરેશ રાવલ(Paresh rawal)ના મૃત્યુની અફવા ઊડી. સોશિયલ મીડિયા પર આ અફવા એવી વાયરલ થઈ ગઈ કે લોકો શંકા-કુશંકા કરવા માંડ્યા. આખરે પરેશ રાવલે પોતે આ અફવાનું ખંડન કર્યું. જોકે તેમણે અફવાનો મજાકિયો જવાબ આપ્યો.
વાત એમ હતી કે પરેશ રાવલ(Paresh rawal)ના ફોટોગ્રાફ સાથે એમ લખવામાં આવ્યું કે પરેશભાઈ સવારે સાત વાગ્યે આપણને છોડીને ચાલ્યા ગયા છે. જવાબમાં પરેશ રાવલે લખ્યું કે માફ કરજો હું સાત વાગ્યા પછી સૂઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે અનેક સિનેસ્ટારના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે અને એની સાથે જ અનેકનાં મૃત્યુની અફવા પણ ઊડી રહી છે. આ પરિસ્થિતિમાં પરેશ રાવલ(Paresh rawal)ના જવાબથી સોશિયલ મીડિયા પર એક અફવા પર બ્રેક લાગી ગઈ હતી.
આ પણ વાંચો….