Popatlal Confirms The Entry Of Mrs Popatlal

Popatlal Confirms The Entry Of Mrs Popatlal: આતુરતાનો આવશે અંત, ટૂંક સમયમાં જ સીરિયલમાં જોવા મળશે મિસિસ પોપટલાલ

Popatlal Confirms The Entry Of Mrs Popatlal: અસિત કુમાર મોદીએ શોમાં નવા પાત્રો લાવવાની વાત કરી હતી અને તેમાંથી એક પાત્ર મિસિસ પોપટલાલ એટલે કે તેની પત્ની પણ જોવા મળશે

મનોરંજન ડેસ્ક, 16 સપ્ટેમ્બરઃ Popatlal Confirms The Entry Of Mrs Popatlal: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય સિરિયલ છે. 14 વર્ષ દરમિયાન ઘણાં કલાકારોએ સિરિયલ છોડી તો ઘણાં કલાકારો નવા આવ્યા છે. હાલમાં જ તારક મહેતાના પાત્રમાં સચિન શ્રોફ જોવા મળ્યો છે. આ દરમિયાન શ્યામ પાઠક એટલે કે પત્રકાર પોપટલાલે પોતાના લગ્ન અંગે વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ અનડકટ તથા શૈલેષ લોઢાએ ‘તારક મહેતા..’ સિરિયલ છોડી દીધી છે. બંને અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરવા ઉત્સુક છે. ઘણાં અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યા છે કે તેમને પ્રોડ્યૂસર અસિત મોદી સામે વાંધો હતો.

આ પણ વાંચોઃ Statement of Indranil Rajguru: આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુનું મોટુ નિવેદન, કહ્યું- AAPનું જોર જોઈ ભાજપ ડરી રહી છે

જોકે, શૈલેષની જગ્યાએ સચિન શ્રોફને લઈ લેવામાં આવ્યો છે. હજી ચાહકોને મહેતા સાહેબ તરીકે સચિન શ્રોફને સ્વીકારવામાં સમય લાગશે. અસિત મોદીએ સિરિયલમાં નવા પાત્રો ઉમેરાશે તેમ કહ્યું હતું.

સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં અમિત ભટ્ટ (ચંપકચાચા) એક્ટર સચિન શ્રોફના વખાણ કરે છે. મંદાર ચાંદવડકર (મિસ્ટર ભીડે) ચતથા શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ) બાજુમાં ઊભા છે. શ્યામ પાઠક એમ કહે છે કે અસિત કુમાર મોદીએ શોમાં નવા પાત્રો લાવવાની વાત કરી હતી અને તેમાંથી એક પાત્ર મિસિસ પોપટલાલ એટલે કે તેની પત્ની પણ જોવા મળશે.

આ પણ વાંચોઃ Visit to Gurukul Kurukshetra: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત અને હરિયાણાના મુખ્યમંત્રીનું ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું

Gujarati banner 01