Dhanteras: શાસ્ત્રો આધારિત ધનતેરસનું મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલા તથ્યો વિશે ડો. મૌલી રાવલ પાસેથી…
Dhanteras: માનવામાં આવે છે કે, આ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. આ કારણોસર આ પર્વને ધનતેરસ કહેવામાં આવે છે
ધર્મ ડેસ્ક, 02 નવેમ્બરઃ Dhanteras: હિંદુ પંચાગ અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસની ઊજવણી કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. આ કારણોસર આ પર્વને ધનતેરસ કહેવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો સૌથી વધુ ખરીદી કરે છે.
આ પણ વાંચોઃ Patna serial blast: પટના સીરિયલ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે સંભળાવ્યો નિર્ણય, 4 દોષીઓને ફાંસીની સજા
માન્યતા છે કે, આ પ્રકારે કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. મોટાભાગના લોકો આ દિવસે સોનુ, ચાંદી, વાસણ તથા અન્ય વસ્તુઓની ખરીદી કરે છે. આ દિવસે રોકાણ કરવાને પણ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ ક્યા દિવસે છે તેના વિશે જ લોકો અસમનજસમાં છે. કારણ કે તારીખ અને તીથીમાં પણ બદલાવ છે. તો આવો જ્યોતિષ આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી ધનતેરસના મહત્વ વિશે જાણીએ….