Ambaji aarti time change: અંબાજી મંદિર માં બેસતા વર્ષથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૨ નવેમ્બર: Ambaji aarti time change: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, આગામી તહેવારો બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય ફેરફાર થયેલો છે. જેમાં
૦૫ નવેમ્બર શુક્રવારે (બેસતું વર્ષ) આરતી (Ambaji aarti time change) સવારે ૬:૦૦ થી ૬:૩૦, દર્શન સવારે ૬:૩૦ થી ૧૦:૪૫, રોજભોગ બપોરે ૧૨:૦૦ થી ૧૨:૧૫, અન્નકુટ આરતી ૧૨:૧૫ થી ૧૨:૩૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૬:૧૫, આરતી સાંજે ૧૮:૩૦ થી ૧૯:૦૦, દર્શન સાંજે ૧૯:૦૦ થી ૨૩:૦૦ સુધી
૦૬ નવેમ્બર કારતક સુદ-૨ થી તા.૦૯/૧૧/૨૦૨૧ લાભ પાંચમ સુધી આરતી સવારે ૬:૩૦ થી ૭:૦૦, દર્શન સવારે ૭:૦૦ થી ૧૧:૩૦, રોજભોગ બપોરે ૧૨:૦૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૬:૧૫, આરતી સાંજે ૧૮:૩૦ થી ૧૯:૦૦, દર્શન સાંજે ૧૯:૦૦ થી ૨૩:૦૦ સુધી
૧૦ નવેમ્બર થી દર્શનનો સમય આ મુજબ યથાવત રહેશે જેમાં આરતી સવારે ૭:૩૦ થી ૮:૦૦, દર્શન સવારે ૮:૦૦ થી ૧૧:૩૦, રોજભોગ બપોરે ૧૨:૦૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૬:૧૫, આરતી સાંજે ૧૮:૩૦ થી ૧૯:૦૦, દર્શન સાંજે ૧૯:૦૦ થી ૨૧:૦૦ રહેશે.