Vastu tips: કારમાં આ વસ્તુ રાખવાથી પોઝિટિવિટી હંમેશા કાયમ રહેશે, વાંચો આ ખાસ ઉપાય
વાસ્તુ શાસ્ત્ર(Vastu tips)માં આપવામાં આવેલા કેટલાક ઉપાયોને અપનાવીને તમે તમારા વાહનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા ક્રિએટ કરી શકો છો.
જ્યોતિષ ડેસ્ક, 09 જૂનઃ વાસ્તુ શાસ્ત્ર(Vastu tips) અનુસાર તમારી કાર તમારા માટે કેવી રીતે લકી સાબિત થઈ શકે છે અથવા તમે તમારી કાર અને અન્ય કોઈ વાહનમાં પોઝીટિવિટીને કેવી રીતે કાયમ રાખી શકો છો. જો તમારા વાહનમાં કોઈ વાસ્તુ દોષ છે તો વાસ્તુ શાસ્ત્ર(Vastu tips)માં આપવામાં આવેલા કેટલાક ઉપાયોને અપનાવીને તમે તમારા વાહનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા ક્રિએટ કરી શકો છો.
આ માટે તમે રાત્રે તમારી કારમાં સીટની નીચે એક છાપુ પાથરીને તેના પર થોડુ સેંધાલૂણ(સીંધવ મીઠું) મુકી દો અને એ મીઠાને બીજા દિવસે સવારે પાણીમાં વહાવી દો. તેનાથી કારમાં ઉપસ્થિત નેગેટિવ એનર્જી ઓછી થાય છે.
Vastu tips: તમે કારમાં જ એક નાનકડા બોક્સમાં કેટલાક પત્થરોની સાથે રેતી મિક્સ કરીને મુકી દો. જેનાથી પંચતત્વોનુ સંતુલન બન્યુ રહેશે અને અચાનક થનારી કોઈ અપ્રિય ઘટનાથી પણ તમે બચ્યા રહેશો. સાથે જ તમે તમારી કારમાં શ્રીયંત્ર, મારુતિ યંત્ર કે ફેંગશુઈની કોઈ હૈગિંગ આઈટમ લગાવી શકો છો.
આ પણ વાંચો….
Gujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 695 કેસ નોંધાયા, સામે રિકવરી રેટ 96.98 ટકાએ પહોંચ્યો- વાંચો સંપૂર્ણ અહેવાલ