Nalsarovar and Thol will be closed for 2 days for visitors: 2 દિવસ નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે
Nalsarovar and Thol will be closed for 2 days for visitors: 5 અને 6 ફેબ્રુ.ના રોજ પક્ષી ગણતરી થશે બંને જગ્યાઓ મુલાકાતીઓ માટે બંધ રહેશે
અમદાવાદ, 03 ફેબ્રુઆરી: Nalsarovar and Thol will be closed for 2 days for visitors: નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે તારીખ 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ બંને જળાશયોના પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 28 તથા 33થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે. આ બંને દિવસ દરમ્યાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનીક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા જાહેર જનતાને અપિલ કરવામાં આવી છે.