Iscon mahant edited

રાજકોટ ઈસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા દાસજીનો પ્રેરક સંદેશ

Iscon mahant edited

કોરોના રૂપી અસુર સામે વિજ્ય થવાનો એક જ માર્ગ છે, જરૂરી સાવચેતી સાથે શ્રધ્ધા અને શાંતિ, રાખો આ સમય પણ ઝડપથી પસાર થઈ જશે

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ,૨૬ સપ્ટેમ્બર: ‘‘હરે ક્રિષ્ના ! હું રાજકોટના ધર્મપ્રેમી લોકોને આહવાન કરૂં છું છે, કોરોનાના આ સમયમાં ડરવાની જરાય જરૂર નથી. કોરોના રૂપી અસુર સામે વિજ્ય થવાનો એક જ માર્ગ છે, અને તે છે જરૂરી સાવચેતી સાથે શ્રધ્ધા અને શાંતિ જાળવવાનો. આ સમય પણ ઝડપથી પસાર થઈ જશે.’’ આ પ્રેરક સંદેશ આપ્યો છે, રાજકોટના ઈસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા દાસજીએ.

 તેઓ કહે છે, ભગવત ગીતામાં એક પ્રસંગ છે, કે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુધ્ધ ચાલું હતુ અને દેવો હારવાની સ્થિતિમાં હતા, તેમના ઉપર આપત્તિ આવી હતી, તેવા સમયે ભગવાન વિષ્ણુએ તેમને ડર્યા વિના સંયમ જાળવવા અને શ્રધ્ધા સાથે શાંતિ જાળવી રાખવા જણાવ્યું હતુ. અને કહયું હતુ કે, તમે જેટલો સમય સાચવશો, તેટલા જલ્દી તમે આ આપત્તિમાંથી બહાર આવી શકશો. ભગવાન વિષ્ણુની આ વાતને માની દેવતાઓએ સંયમ જાળવ્યો, થોડું સહન કર્યું અને તેઓ અસુરો સામે વિજ્ય બન્યા.

 બસ આજની પરિસ્થિતિ પણ કઈંક આવી જ છે, અત્યારના સમયમાં કોવીડ – ૧૯ રૂપી અસુરથી સમગ્ર માનવજાત પીડાઈ રહી છે, તેવા સમયમાં આપણે સૌએ સમયને સાચવીને જરૂરી સાવચેતી રાખવી અતિ આવશ્યક છે. આપણે એક બીજા વ્યક્તિ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખીએ સાથો સાથ મોઢે માસ્ક પહેરીએ, આપણા હાથને વારંવાર સાબુ – સેનીટાઈઝરથી સાફ રાખીએ અને લોકોને કોરોના મૂક્ત બનાવવા માટે સરકારે જે અભિયાન આરંભ્યું છે. તેમાં સહભાગી બનીને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીશું તો બહું ઝડપથી ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’

loading…