Sabarmati-Jodhpur Special Train: સાબરમતી-જોધપુર સ્પેશિયલ ટ્રેનના પરિચાલન સમયમાં ફેરફાર

Sabarmati-Jodhpur Special Train: ટ્રેન નંબર 04822 સાબરમતી-જોધપુર સ્પેશિયલ ટ્રેનના મંડળ પર પરિચાલન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

અમદાવાદ, 12 અગસ્ત: Sabarmati-Jodhpur Special Train: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર સાબરમતી થી ચાલવાવાળી ટ્રેન નંબર 04822 સાબરમતી-જોધપુર સ્પેશિયલ ટ્રેનના મંડળ પર પરિચાલન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Investor summit: પ્રધાનમંત્રી 13 ઓગસ્ટે ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધશે

મંડળ રેલ પ્રવકતા અમદાવાદ ના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 04822 સાબરમતી-જોધપુર સ્પેશિયલ સાબરમતી સ્ટેશન થી 06:40 વાગ્યે ચાલીને 06:52 વાગ્યે ખોડિયાર, 07:04 વાગ્યે કાલોલ, 07:13 વાગ્યે ઝુલાસન, 07:22 વાગ્યે ડાંગરવા, 07:34 વાગ્યે આંબલીયાસન તથા 08:30 વાગ્યે મહેસાણા પહોચીને જોધપુર માટે પ્રસ્થાન કરશે. મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો