Train Route Changed News: સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે, જાણો…

Train Route Changed News: ભોપાલ ડિવિઝનમાં બ્લોકને કારણે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

અમદાવાદ, 24 નવેમ્બરઃ Train Route Changed News: પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝનના બુધની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઇનને શરૂ કરવા માટે સૂચિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

ડાયવર્ટ કરાયેલી ટ્રેનો:-

  1. 28 નવેમ્બરથી 09 ડિસેમ્બર સુધી, ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ જબલપુર-કટની મુરવારા-બીના-ભોપાલ થઈને ચાલશે.
  2. 28 નવેમ્બરથી 08 ડિસેમ્બર સુધી, ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ભોપાલ-બીના-કટની મુરવારા-જબલપુર થઈને ચાલશે.

આ પણ વાંચો… ED Summons To Prakash Raj: પ્રકાશ રાજની મુશ્કેલી વધી, આ મામલે ઇડીએ પાઠવ્યા સમન્સ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો