અભિનેત્રી શબાના આઝમીનો કંગના રનૌત પર વાર,જાણો શું કહ્યું શબાનાએ?
અહેવાલ: હેમાલી ભટ્ટ
૦૬ ઓક્ટોબર: શબાના આઝમીએ કહ્યું, કંગના રનૌત પોતાની કાલ્પનિક દુનિયામાં જીવે છે, તેને એ દિવસનો ડર લાગે છે, જે દિવસે તે ચર્ચામાં રહેશે નહીં
શબાના આઝમીએ કહ્યું હતું કે કંગના રનૌત માત્ર એટલા માટે સનસનાટીવાળા નિવેદનો આપે છે, કારણ કે તે હેડલાઈન્સમાં રહેવા ઈચ્છે છે. જોકે, તેણે માત્ર એક્ટિંગ પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે તે એક્ટિંગમાં સૌથી સારી છે. આ સાથે જ શબાનાએ એમ પણ કહ્યું હતું કે બોલિવૂડ પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોનો હેતુ અસલી મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો છે.મહત્વનું છે કે અગાઉ ડ્રગ્સ મામલે કંગનાએ બોલીવુડના કલાકારો પર નિશાન તાક્યુ હતું. અને કહ્યું હતું કે બોલીવુડ ગટર છે અને મોટા ભાગના બોલીવુડ સ્ટાર્સ ડ્રગ્સ એડિક્ટ છે.