જામનગરમાં સરદાર પટેલ ૧૪૫ જન્મજયંતિ પર ભાજપ દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૩૧ ઓક્ટોબર: જામનગરમાં ૩૧મી ઓક્ટોબર ને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે શહેર ભાજપ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સૌપ્રથમ રણજીતનગર પટેલ સમાજ ચોકમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા ની આગેવાનીમાં પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, દિનેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત જામનગર શહેર સંગઠનના અન્ય હોદ્દેદારો, કોર્પોરેટરો, સહિતના અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી, અને સરદાર પટેલને યાદ કર્યા હતા.
આ પણ વાંચો: પીએમ મોદીએ સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર સરદારની પ્રતિમાને નમન કર્યું.
આ પણ વાંચો: સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ એ ગાંધીનગરમાં સરદાર પ્રતિમા સમક્ષ ભાવ વંદના કરતા મુખ્યમંત્રીશ્રી
આ પણ વાંચો: સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ: નીતીનભાઇ પટેલ