Dhandhuka murder

Dhandhuka murder: અમદાવાદના આ વિસ્તારમાં ખેલાયો છે ખૂની ખેલ, ભારે અરાજકતા વચ્ચે બંધનું એલાન- વાંચો શું છે મામલો?

Dhandhuka murder: ફાયરિંગ વિથ મર્ડર કેસ મામલે આજે અમદાવાદના ધંધુકામાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે

અમદાવાદ, 27 જાન્યુઆરીઃ Dhandhuka murder: ધંધુકા ખાતે ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે તપાસ કરી તો મૃતકે થોડા સમય પહેલા ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર કરતા મામલો ગરમાયો હતો. જેની પોલીસ કાર્યવાહી થઈ હતી અને સમાધાન પણ થયું હતું. ત્યારે આખા જિલ્લાની પોલીસને ગામમાં અરાજકતાનો માહોલ દેખાતા છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આજે આ મુદ્દે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ફાયરિંગ વિથ મર્ડર કેસ મામલે આજે અમદાવાદના ધંધુકામાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. હાલ ધંધુકામાં શાંતિપૂર્ણ માહોલ છે. બીજી બાજુ આરોપીઓને પકડવા પોલીસની ટીમ કામે લાગી ગઈ છે. સમગ્ર મામલાની તપાસ SOGને સોંપાઈ છે.

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી હત્યા મામલે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગઈકાલે (બુધવાર) પોલીસના બંદોબસ્ત વચ્ચે સ્મશાન યાત્રા નિકળી હતી. બીજી બાજુ આરોપીને પકડવા માટે પોલીસની 7 ટીમ કામે લાગી છે. સમગ્ર ઘટના મામલે SOGને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ગામમાં ભારે અરાજકતા વચ્ચે જ્યાં સુધી આ ઘટનામાં આરોપીઓ નહી પકડાય ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત હટાવવામાં આવશે નહીં.

આ હતો મામલો?
અમદાવાદના ધંધુકામાં મોઢવાડાનો ડેલો આવેલો છે, જ્યાં મંગળવારે કિશન નામનો યુવક તેના જુના ઘર પાસે જતો હતો ત્યારે બે લોકોએ આવીને તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધ્યો અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ગામજનોમાં આટલેથી સંતોષ થયો નહોતો.

ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે થોડા દિવસ પહેલા કિશનને એક ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી. જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે, કારણ કે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી. અને બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા. પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો અને ગઈકાલે ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે.

આ પણ વાંચોઃ Traffic jam in the sky: આકાશમાં થયો ટ્રાફિક જામ, એકસાથે આઠ પ્લેન આકાશમાં થયા એકઠા

તો બીજી તરફ હાલ અમદાવાદ ગ્રામ્ય રેન્જ આઈજી, એસપી, બે ડીવાયએસપી, પાંચથી વધુ પીઆઇ, સાતેક પીએસઆઇ તથા અડધા જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ હતી. તપાસ એસઓજીને સોપાતા એલસીબી, એસઓજી પણ તપાસમાં જોતરાઈ હતી. મૃતકની હત્યાને પગલે મામલો ઉગ્ર બન્યો હતો. મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકો રોષે ભરાયા હતા અને પોલીસે આગેવાનોની મદદ લઇ મામલો થાળે પાડ્યો હતો. સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે બેઠક થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો અને મંગળવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ વિધિ કરવાનું પોલીસે આયોજન પણ કર્યું હતું. 

તો બીજી તરફ મૃતકની હત્યા પાછળ (Dhandhuka murder) સોશિયલ મીડિયાની પોસ્ટ હતી કે અન્ય કોઈ કારણ તે આરોપીઓ ઝડપાયા બાદ સામે આવશે. હાલ તો શકમંદોની અટકાયત કરી પોલીસ ઊંડાણપૂર્વક તપાસના કામે લાગી ગઈ છે. તો ધંધુકામાં શાંતિભર્યું વાતાવરણ રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને અન્ય ટીમો હત્યા પાછળનું હકીકત કારણ જાણવામાં લાગી ગઈ છે કારણ કે અનેક નવી બાબતો પણ પોલીસના ધ્યાને આવતા હકીકતના મૂળ સુધી પહોંચવા પોલીસ મથી રહી છે.

Gujarati banner 01