ડ્રગ્સ કેસમાં બોલીવુડની ચાર અભિનેત્રીઓ પર કસાતો સકંજો
ડ્રગ્સ કેસમાં બોલીવુડની ચાર અભિનેત્રીઓ પર કસાતો સકંજો, કંઈ કંઈ અભિનેત્રીઓને આવ્યું NCBનું તેડું
અહેવાલ: હેમાલી ભટ્ટ
૨૩ સપ્ટેમ્બર: સુશાંતસિંહ રાજપૂત કેસમાં એનસીબીની જયા શાહા સાથેની પૂછપરછમાં બોલીવુડની ટોચની ગણાતી અભિનેત્રી દીપિકા પાદુકોણ,રકુલપ્રિત સિંહ,સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની મુશ્કેલીઓ વધી ગઈ છે.આ તમામને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
આગામી ત્રણ દિવસમાં આ લોકોએ તેમનું નિવેદન નોંધાવવું પડશે. દીપિકા પાદુકોણ મુંબઈમાં નથી, અભિનેત્રી 25 સપ્ટેમ્બરે એનસીબી સમક્ષ હાજર થઈ શકે છે. શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન 26 સપ્ટેમ્બરે એનસબી સમક્ષ હાજર થશે.દીપિકા પાદુકોણ હાલ ગોવામાં છે અને કરણ જોહરની ફિલ્મનું શૂટિંગ સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સાથે કરી રહી છે.
જો કે એનસીબીના સકંજામાં આવતા જ દીપિકાએ શૂટિંગ અટકાવ્યું. અને વીડિયો કૉંફ્રેંસિંગથી 12 વકીલો સાથે મિટિંગ કરી. દીપિકાનો પતિ અને અભિનેતા રણવીર સિંહે પણ વકીલો સાથે ચર્ચા કરી.જયા શાહાની વ્હોટ્સએપ ચેટમાંથી દીપિકાનું નામ સામે આવ્યું હતું. આ ચેટમાં દીપિકાએ પોતાની મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે ‘માલ ક્યા હૈ?’ વાત કરી હતી. અને તેણે વીડ તથા હશીશ અંગે પૂછ્યું હતું.