જામનગરના બાલભાં ગામે મહંત દ્વારા પરણીતા પર દુષ્કર્મ ગુજારાયા ની પોલીસ ફરિયાદ
- ઉદાસીન આશ્રમના મહંતે મહિલાને સારવાર કરવા બોલાવી લીધો ગેરલાભ.
- જોડિયા તાલુકાના બાલભા ગામે ધાર્મિક ઓથા હેઠળ થયેલા દુષ્કર્મ થી ધર્મપ્રેમીઓની લાગણી દુભાઈ.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૭ નવેમ્બર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલભા ગામમાં એક ચકચાર મચાવનાર ઘટના બની છે. જેની જોડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. અને જોડિયા પોલીસ પાસેથી પ્રાપ્ત થઈ રહેલ વિગતો પ્રમાણે જોડિયા નજીક બાલભા ગામે ઉદાસીન આશ્રમ આવેલ છે. અને
આ આશ્રમના મહંત તરીકે 56 વર્ષ ના હરીદાસબાપૂ કાર્યભાર ભાળે છે. એવા માં થોડા સમય પૂર્વે આશ્રમના અનુયાયી એવી એક મહિલા ને સતત દ્વારા ફોન કરી ને એવું કહ્યું કે હું બીમાર છું. તમે મારી સેવા કરવા આવો.અને નજીક ના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી 40 વર્ષ ની પરિણીત ને પોતા ના આશ્રમ ખાતે બોલાવેલ અને ભોગબનનાર પરણિતતા. ને જ્યારે મહંત ના પગ દબાવી રહી હતી.ત્યારે સત હરિદાસબાપુની નીયત બગડતા તેને મહિલા ને તેની બાહોમાં લઇ લીધી હતી. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ.
જે બાદ આ ફરિયાદી એ મોડી મોડી ફરિયાદ દાખલ થવા પાછળ નું કારણ કઈક એવું હતું.કે સત અવારનવાર મહિલા ને ફોન ઉપર ધમકી ઓ આપતો હતો કે જો આ બાબત ની કોઈ ને પણ જાણ કરી છે તો હું તાંત્રિક વિધિ કરીશ અને અન્ય અનુયાયીઓ ને કહીને તમને નુકસાન પહોંચા ડીશ .તેવી ધમકીઓ આપતા હતા. જે બાબત ની ફરિયાદ જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાતા PSI એમ.આર. વાળા. સહિત ના સ્ટાફ દ્વારા આગળની તપાસ કરી રહ્યા છે….