જામનગરમાં સાંસદ, મેયર સહિત આગેવાનો એ પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં વૃક્ષ પૂજન…

રિપોર્ટ:જગત રાવલ

જામનગર,૩૦ ઓગસ્ટ:હિન્દુ અધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત ભારતભર માં યોજાયેલા પ્રકૃતિ વંદન કાર્યક્ર્મમાં જામનગરમાં પણ ૩ સ્થાનો પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ પૂનમબેન માડમે પ્રકૃતિ વંદન તેમના ઘર પર કરી હતી જેમાં ધીરુભાઈ સાવલિયા, વ્રજલાલભાઈ પાઠક વિગેરે હાજર રહ્યા હતા.

જ્યારે મેયર હસમુખભાઈ જેઠવા તથા પૂજ્ય સંત શ્રી ચત્રભૂજદાસ મહારાજ દ્વારા શિશુ મંદિર સ્કુલ, કૃષ્ણનગર વૃક્ષની પૂજા કરવામાં આવી હતી.

Tree 3008

ત્યારબાદ અન્ય એક કાર્યક્રમમાંહસમુખભાઈ હિંડોચા ના ઘર પર લાલવાડી ખાતે પ્રકૃતિ વંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાતં અનેક પર્યાવરણ પ્રેમીઓએ તેમના ઘરે પ્રકૃતિ વંદના કરી હતી અને લાઈવ કાર્યક્રમમાં જોડાયા હતા.