JMC Ukada vitaran 2

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કેહર વધતા ઠેર ઠેર ઉકાળા વિતરણ શરૂ કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૧ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના લીંબુડા ગામે કોરોના મહામારી અંતર્ગત આયુર્વેદિક હોસ્પિટલ જોડીયાના સહયોગથી તાલુકા પંચાયત જોડીયા અને મામલતદાર કચેરીના આયોજનથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો, લોકો બહોળી સંખ્યામાં ઉકાળાનું સેવન કરી રહ્યા છે

આ કામગીરી લીંબુડા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો તેમજ આશા વર્કર અને લીંબુડા ગામ ના સરપંચ બીપીનભાઈ નાગપરા ની હાજરીમાં તેમજ આ સમયે તાલુકા વિકાસ અધિકારી જે.એચ. સોરઠીયા હાજર રહેલ તાલુકા વિકાસ અધિકારીએ ઉકાળા વિશે મહત્વની જાણકારી આપી અને આ કાર્યક્રમ પાંચ દિવસ સુધી દરરોજ તાલુકાના તમામ ગામની આંગળવાડી ખાતે ઉકાળા વિતરણ કરવામાં આવશે.

loading…