Manish Doshi

કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય:ડૉ. મનિષ એમ. દોશી

માનનીય મુખ્યમંત્રીને શૈક્ષણિક વ્યવસ્થા માટે ડૉ. મનિષ એમ. દોશીનો પત્ર

કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય અને અવઢવની પરિસ્થિતિના ઉકેલ માટે પગલા ભરવા બાબત.


અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં સૌથી વધુ કોઈ અસરગ્રસ્ત હોય તો શૈક્ષણિક વ્યવસ્થા અને શૈક્ષણિક સંકુલો છે. કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકડાઉનની જાહેરાત સૌ પ્રથમ શૈક્ષણિક શાળા-કોલેજો બંધ રાખવામાં આવ્યા અને સૌથી છેલ્લે શાળા-કોલેજો ખુલવાની છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ વાલીઓ સતત ચિંતિત છે. રાજ્ય સરકાર પણ, શાળા-કોલેજો અંગે અવઢવ પરિસ્થિતિમાંથી બહાર આવી, જ્યાં સુધી કોરોના સંક્રમણ અટકે નહીં ત્યાં સુધી શાળા-કોલેજો ખોલવી ના જોઈએ. છેલ્લા ઘણાં સમયથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય માત્ર ઓનલાઈન અને મર્યાદિત સમય માટે જ ચાલી રહ્યું છે. જેમાં સર્વે મુજબ અને જમીની હકીકત તપાસતા ૪૭ ટકા વિદ્યાર્થીઓ જ ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યાં છે. ઓનલાઈન એજ્યુકેશન ને કારણે અસમાનતામાં વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. આ સંજોગોમાં સરકાર નીચેની બાબતો અંગે ગુજરાતના વિદ્યાર્થીઓ-વાલીઓ માટે સ્પષ્ટતા સાથે જાહેરાત કરે તે જરૂરી છે.

(૧) રાજ્યમાં માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે અને ઓક્ટોબર-નવેમ્બર સુધી શાળાઓ ખુલે તેવી શક્યતા નથી. શાળાઓને ઈલેક્ટ્રી સીટી, વહીવટી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, અન્ય ખર્ચા સદંતર બંધ છે. આ સંજોગોમાં સમાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ- વાલીઓને એક સત્રની ફી માફ કરવી અત્યંત જરૂરી છે. આ બાબતે સરકારશ્રી સંચાલકો સાથે તાત્કાલિક સંવાદ દ્વારા ઉકેલ લાવે.
(૨) રાજ્યમાં માર્ચ મહિનાથી શૈક્ષણિક સ્કૂલો બંધ છે. નવા શૈક્ષણિક સત્રમાં અભ્યાસક્રમમાં કેટલો ઘટાડો કરવો તે અંગે રાજ્ય સરકારે હજી સુધી નિર્ણય કર્યો નથી. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થી-વાલીઓ-શિક્ષકગણ સતત ચિંતામાં છે. રાજ્ય સરકારે તાકીદે તાર્કિક રીતે અભ્યાસક્રમમાં શૈક્ષણિક દિવસોને ધ્યાનમાં લઈ ઘટાડો કરવો જોઈએ.

loading…

(૩) રાજ્યમાં માર્ચ મહિનાથી શૈક્ષણિક સ્કૂલો બંધ છે. આ સંજોગોમાં અભ્યાસક્રમમાં CBSE દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે, ગુજરાતમાં પણ, અભ્યાસક્રમ ઘટાડાની સાથે પરીક્ષા પધ્ધતિ, ગુણભાર સહિતની બાબતોને પણ, તાત્કાલિક જાહેર કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને તેને અભ્યાસ કરાવતા વિષય શિક્ષકો, પરીક્ષાલક્ષી તૈયારી, કરાવવાનું આયોજન કરી શકે

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈ સરકારશ્રી શૈક્ષણિક વ્યવસ્થામાં અવઢવની પરિસ્થિતિમાં સ્પષ્ટતા કરે તે માટે વિનંતી સહ.

ડૉ. મનિષ એમ. દોશી