jamnagar kisan protest 4

જામનગરમાં અમુક ગામો ને બાદ કરતાં ભારતબંધ ને જાકારો.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૮ ડિસેમ્બર: ખેડૂત આંદોલન મુદ્દે ભારત બંધ ના એલાન માં જામનગરના ફલા અને કાલાવડમાં શહેર ની મુખ્ય બજારો બંધ રહી જ્યારે જામનગર શહેર માં તમામ બજારો અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ખુલા જોવા મળી રહ્યા છે. જામનગરમાં કલેકટર રવિશંકર દ્વારા 144 મી કલમ લાગુ પાડતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા નો ભંગ કરી રહેલા અને બજારો બંધ કરાવતા કોંગ્રેસ ના કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસના વિરોધપક્ષના નેતા અલતાફ ખફી, મહિલા આગેવાન સહારાબેન મકવાણા, કોર્પોરેટર દેવશીભાઈ આહીર, જેનમબેન ખફી, નીતાબેન પરમાર, કોંગ્રેસ પ્રમુખ કર્ણદેવ સિંહ, દિગુભા અને તોસિફખાન પઠાણ સહિત ના આગેવાનો ની અટકાયત કરી લેવામાં આવી હતી.

whatsapp banner 1