Maharashtra: હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, 13 દર્દીના મોત- વાંચો સંપૂર્ણ અહેવાલ
મુંબઈ,23 એપ્રિલ: કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે મહારાષ્ટ્ર(Maharashtra)માં વિરારમાં આવેલી એક કોવિડ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાતે આગ ભભૂકી ઉઠી. વિરારની વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાતે લગભગ 3.30 વાગે આગ લાગી જેમાં અત્યાર સુધીમાં 13 દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયરની ગાડીઓ ઉપરાંત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર સતત ચાલુ છે. દરરજો(Maharashtra) કોવિડ-19ના અઢળક કેસ સામે આવી રહ્યા છે. આ કારણે અનેક રાજ્યોમાં ઓક્સીજનની અછત સર્જાઈ છે.
આ પણ વાંચો….
મોદી સરકાર(Modi government)નો મોટો નિર્ણય, ઝડપથી ઓક્સિજન મળી રહે તે માટે લીધા આ પગલા