GYasuddin Shaikh 1609

ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના જીવનની રક્ષા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખી વિનંતી કરી હતી.

અમદાવાદ,૧૬ સપ્ટેમ્બર: દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના મહામૂલ્ય જીવનની રક્ષા માટે કોરોના સંક્રમણની સમાપ્તિ-વેક્સીન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાજકીય મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકવા નામદાર ગુજરાત હાઈકોર્ટને તા. ૧૪-૯-૨૦૨૦ના રોજ પત્ર લખી વિનંતી કરી હતી.

ગુજરાત ખાસ કરીને રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ આજે તીખી પ્રતિક્રિયા આપી છે અને રાજકીય લોકો સરકારની ગાઈડલાઈનનું પાલન કરે તેવી ટકોર કરી છે. નામદાર હાઈકોર્ટે ટકોર કરી હતી કે, નિયમો બધા જ માટે સરખા છે. જો રાજનેતાઓ નિયમોનું પાલન નહીં કરે તો પ્રજા પણ જાગૃતતા નહીં દાખવે. રાજકીય લોકો જનતાના માર્ગદર્શક છે, જેથી રાજકીય પાર્ટીઓને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા કડક આદેશ કર્યો હતો.

તેમ ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્યું હતું

loading…