Seva karya: શહેર અને તેની આસપાસના ગામમાં જરુરી દવા આપવાનું કાર્ય કરે છે આ ફાઉન્ડેશન
અમદાવાદ, 12 મેઃSeva karya: કોરોના વાયરસનો કહેર દેશભરમાં વરસી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ભલે પરિસ્થિતિ આજે ખરાબ છે, પરંતુ જે રીતે મદદ કરવાની ભાવના(Seva karya) લોકોમાં જોવા મળી રહી છે. તે ખરેખર બિરદાવા જેવું છે. આવી જ કંઇક કામગીરી દિલીપ ફાઇન્ડેશન એન્ડ PAURASH ફાઉન્ડેશન ધ્વારા અમદાવાદ અને ખેડા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં સેવા આપવાનું કાર્ય કરી રહ્યાં છે.
ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારોમાં કોરોનાના માઇનોર લક્ષણ ધરાવતા દર્દીઓને મેડિસન કિટ 500 જેટલી આપી ચુક્યા છે. નોંધનીય છે કે તેઓ ડોક્ટરનું પ્રિસકિપ્શન આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટના આધારે ફ્રીમાં દવા આપવાનું કાર્ય(Seva karya) કરે છે. હજી 1500 કિટ તૈયાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો….
Corona Vaccine: કોરોનાની રસીને લઇને, કેન્દ્ર સરકારે નક્કી કર્યા કોટા- જાણો કોને મળેશે કેટલી વેક્સિન?