જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.
રિપોર્ટ:જગત રાવલ
17 ઓગસ્ટ:જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને તેની હેલ્થ એન્ડ એજ્યુકેશન પેનલ દ્વારા હાલ કોરોના જેવી મહામારી ને ધ્યાને લઈ ની:શુલ્ક માસ્ક અને સેનેટાઇઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું,
જામનગર શહેર ના રતનબાઈ મસ્જિદ પાસે આવેલ ગાંધીજી ની પૂર્ણ પ્રતિમા ચેતન પેપર માર્ટ નજીક જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને તેની હેલ્થ એન્ડ એજ્યુકેશન પેનલ દ્વારા લોકો ને માસ્ક, વિટામિન સી ની ગોળીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું હાલ કોરોના જેવી મહામારી ની પરિસ્થિતી હોય ત્યારે લોકો માં માસ્ક પહેરવા અને કોરોના અંગે જાગૃતતા આવે તેવા ઉદેશ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ચેમ્બરના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા, મંત્રી અક્ષત વ્યાસ, પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મેહતા, સદસ્ય મહેબૂબભાઈ વેહવારીયા , સેલેસ ગઢવી અને સહારાબેન મકવાણા વિગેરે હાજર રહ્યા હતા.