rjt

RRD Ambedkar Jayanti: રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા ભારત રત્ન ડો. બી. આર. આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણી

RRD Ambedkar Jayanti: એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર ચૌબેએ ડૉ. આંબેડકરના ચિત્રને માળા પહેરાવીને અને દીપ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી

google news png

રાજકોટ, 15 એપ્રિલ: RRD Ambedkar Jayanti: પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા ભારત રત્ન ડો. બી. આર. આંબેડકર ની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણી રાજકોટમાં આવેલ ઓફિસર્સ ક્લબના પરિસરમાં કરવામાં આવી હતી.

આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર કૌશલ કુમાર ચૌબેએ કરી હતી. એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર ચૌબેએ ડૉ. આંબેડકરના ચિત્રને માળા પહેરાવીને અને દીપ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પ્રસંગે બોલતા, ચૌબેએ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બંધારણ ને ઘડવામાં તેમના અપ્રતિમ યોગદાનને યાદ કર્યું. આ પ્રસંગે રાજકોટ ડિવિઝન દ્વારા રેલ્વે કર્મચારીઓ માટે ‘ડૉ બી.આર. આંબેડકર: ભારતમાં સામાજિક ન્યાયના શિલ્પી’ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

wr rjt

વિજેતાઓને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર ચૌબે દ્વારા ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર એ.યુ. સોલંકી, વિવિધ વિભાગોના વરિષ્ઠ રેલવે અધિકારીઓ, ટ્રેડ યુનિયનો, SC/ST અને OBC સંગઠનોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બાબા સાહેબના વિચારો પર વિચાર-મંથન કર્યું હતું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો