Art of Living: પ્રધાનમંત્રીએ શ્રી શ્રી રવિશંકરજી સાથે મુલાકાત કરી
Art of Living: પ્રધાનમંત્રીએ આર્ટ ઓફ લિવિંગમાં શ્રી શ્રી રવિશંકરજી સાથે મુલાકાત કરી
બેંગલુરુ, 10 મે: Art of Living: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગની તેમની મુલાકાત દરમિયાન આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સાથે મુલાકાત કરી હતી.
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોપ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે તેમણે શ્રી શ્રી રવિશંકર જી સાથે વિવિધ વિષયો પર, ખાસ કરીને આર્ટ ઓફ લિવિંગ દ્વારા કરવામાં આવી રહેલા કાર્યો પર ઉત્તમ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ સામાજિક કલ્યાણને આગળ ધપાવવા પ્રત્યે શ્રી શ્રી રવિશંકર જીના જુસ્સાની પ્રશંસા કરી અને સંસ્થાની વિવિધ પહેલો દ્વારા સમાજની સેવા કરવાના પ્રયત્નોની નોંધ લીધી.
આ પણ વાંચો:- Railway Achievement: સુનીલ કુમાર મીનાના નેતૃત્વમાં વાણિજ્ય વિભાગની મોટી સિદ્ધિ
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“આર્ટ ઓફ લિવિંગમાં હતા ત્યારે શ્રી શ્રી રવિશંકર જીને મળ્યા. અમે વિવિધ વિષયો પર, ખાસ કરીને આર્ટ ઓફ લિવિંગના કાર્ય પર ઉત્તમ ચર્ચા કરી હતી. સામાજિક કલ્યાણને આગળ ધપાવવા પ્રત્યેનો તેમનો જુસ્સો નોંધપાત્ર છે.
While at Art of Living, met Sri Sri Ravi Shankar Ji. We had an excellent discussion on various subjects, notably the work of Art of Living. His passion towards furthering societal good is noteworthy.@ArtofLiving@Gurudev pic.twitter.com/c9vah6mXeO
— Narendra Modi (@narendramodi) May 10, 2026
