rajkot

Railway Achievement: સુનીલ કુમાર મીનાના નેતૃત્વમાં વાણિજ્ય વિભાગની મોટી સિદ્ધિ

Railway Achievement: મુસાફર સેવા, ફરિયાદ નિવારણ અને સ્વચ્છતામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન; રાજકોટ મંડળને સતત બીજા વર્ષે મળી પ્રતિષ્ઠિત “રેલ મદદ શીલ્ડ

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

રાજકોટ, 10 મે: Railway Achievement: પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળે પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મહાપ્રબંધક સ્તરની ચાર પ્રતિષ્ઠિત શીલ્ડ પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ ચાર શીલ્ડમાંથી બે મહત્વની શીલ્ડ — “રેલ મદદ શીલ્ડ” અને “કોમર્શિયલ ક્લીનલીનેસ શીલ્ડ”— વાણિજ્ય વિભાગની ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા માટે એનાયત કરવામાં આવી હતી.

આ સિદ્ધિમાં મંડળ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાનું માર્ગદર્શન તથા વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના કુશળ નેતૃત્વની મહત્વની ભૂમિકા રહી છે. મીના દ્વારા કરવામાં આવેલ ઝીણવટભરી કાર્યયોજના, અસરકારક મોનિટરિંગ વ્યવસ્થા અને મુસાફર સેવા પ્રત્યેની પ્રતિબદ્ધ કાર્યશૈલીના પરિણામે રાજકોટ મંડળે આ ઉલ્લેખનીય સફળતા મેળવી છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ સ્થિત યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમમાં આયોજિત પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહ દરમિયાન પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે દ્વારા રાજકોટ મંડળને આ પ્રતિષ્ઠિત શીલ્ડ એનાયત કરવામાં આવી હતી.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

રેલ મદદ શીલ્ડ : સતત બીજી વખત મળી સફળતા
રાજકોટ મંડળને મુસાફરોની ફરિયાદોના ઝડપી અને સંતોષકારક નિરાકરણ માટે “રેલ મદદ શીલ્ડ” આપવામાં આવી છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા અને ‘રેલ મદદ’ પોર્ટલની સતત સમીક્ષાને કારણે મુસાફરોને સમયસર રાહત સુનિશ્ચિત કરી શકાઈ છે. આ ગૌરવની વાત છે કે રાજકોટ મંડળે સતત બીજા વર્ષે આ શ્રેણીમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.

સ્વચ્છતામાં અવ્વલ: કોમર્શિયલ ક્લીનલીનેસ શીલ્ડ
સ્ટેશનો અને મુસાફર પરિસરમાં ઉચ્ચ સ્તરીય સાફ-સફાઈ જાળવવા માટે મંડળને “કોમર્શિયલ ક્લીનલીનેસ શીલ્ડ” થી સન્માનિત કરવામાં આવ્યું છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાના નિર્દેશન હેઠળ ચલાવવામાં આવેલા વિશેષ સ્વચ્છતા અભિયાનો અને બહેતર હાઉસકીપિંગ મેનેજમેન્ટના પરિણામે સ્ટેશન પરિસરોની સ્વચ્છતા અને સમગ્ર વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

વર્ષ 2025-26 દરમિયાન રાજકોટ મંડળના વાણિજ્ય વિભાગ દ્વારા મુસાફર સુવિધાઓના આધુનિકીકરણ અને જન-ફરિયાદોના ઝડપી નિકાલ માટે કરવામાં આવેલા કાર્યોની વિવિધ સ્તરે પ્રશંસા થઈ રહી છે.

રાજકોટ મંડળની આ મહત્વપૂર્ણ સિદ્ધિ પર પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદનું વાતાવરણ છે તથા વિવિધ સ્તરોથી મંડળ અને વાણિજ્ય વિભાગને અભિનંદન મળી રહ્યા છે.