કાશીરામ રાણાના મહા પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું,
બહુજન સમાજ પાર્ટી જામનગર જિલ્લા યુનિટ દ્વારા કાશીરામ રાણાના મહા પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૯ ઓક્ટોબર: બહુજન સંગઠનના સંસ્થાપક તેમજ સામાજિક, રાજકીય પરિવર્તનના મહાનાયક માનનીય કાશીરામ રાણાના 14 માં મહા નિર્વાણ દિવસે જામનગર જિલ્લા પંચાયત સામે બહુજન સમાજ પાર્ટી જામનગર જિલ્લા યુનિટ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રદ્ધાંજલિ સભામાં દમજીભાઈ સૌંદરવા-ગુજરાત પ્રદેશ મહાસચિવ, દાનજીભાઈ ગોહિલ, જિલ્લા પ્રભારી, બળદેવભાઈ મકવાણા-જિલ્લા પ્રમુખ સહિત અન્ય જિલ્લાના પ્રમુખ, સભા પ્રભારી, કાર્યકરો દ્વારા ડૉ બાબા સાહેબ આંબેડકરકાશીરામ રાણા ને ફુલહાર દ્વારા 2 મિનિટના મૌન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત પ્રમુખ કાર્યકર્તાઓને સન્માનવામાં આવ્યા હતા.
અને બહુજન સમાજ પાર્ટી દ્વારા ઘેર ઘેર જઇ લોકોને કાશીરામ રાણાનો સાચો સંદેશ પહોંચાડશે અને આગામી આવનાર ચૂંટણીમાં પણ તેઓ સક્રિયતા સાથે ભાગ લેશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.