Vadodara rathyatra: ભક્તિ શાંતિ અને ભાઈચારાના સૌહાર્દભર્યા વાતાવરણમાં વડોદરામાં ૪૦ મી રથ યાત્રા સંપન્ન
Vadodara rathyatra: વડોદરા મહાનગર પાલિકાના મેયર સાથે નર્મદા વિકાસ મંત્રી અને આગેવાનોએ કરાવ્યું પ્રસ્થાન
- વહેલી સવારે અમી છાંટણા દ્વારા મેઘરાજાએ કર્યા શુભ વધામણા
અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૨ જુલાઈ: Vadodara rathyatra: અષાઢી બીજનાં પવિત્ર પર્વે સંસ્કારી નગરી વડોદરામાં ઇસ્કોન મંદિર,ગોત્રી આયોજિત ૪૦ મી રથ યાત્રા ભક્તિ, શાંતિ, ભાઇચારાના સૌહાર્દભર્યાં વાતાવરણમાં નીકળી અને સંપન્ન થઈ હતી. વહેલી સવારે મેઘરાજાએ રથયાત્રાના સમગ્ર માર્ગ પર વર્ષા જળની ઝરમર દ્વારા શુભ સંકેત આપ્યો હતો.
Vadodara rathyatra: કોરોના ગાઈડ લાઈનને અનુલક્ષીને સવારના ૯ વાગે ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામજીના પ્રચંડ જયઘોષ વચ્ચે ,પરંપરા પ્રમાણે પવિત્ર વિધિઓ દ્વારા વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયૂર રોકડીયાએ પ્રથમ નાગરિકના અધિકારથી પ્રભુના રથને નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું.
તેમની સાથે પક્ષ અધ્યક્ષ ડો.વિજય શાહ, ધારાસભ્યઓ, સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, મહાનગર પાલિકાના પદાધિકારીઓ, અમી રાવત અને મર્યાદિત સંખ્યામાં અગ્રણીઓ જોડાયાં હતાં. કોરોના ગાઈડ લાઈન પ્રમાણે મર્યાદિત સંખ્યામાં ભક્તો સાથે ભગિની સાથે ભગવાન બંધુ બેલડીએ નગરયાત્રા કરી નગરજનો પર આશિષની વર્ષા કરી હતી.
ભકતોએ પોતપોતાના ઘરોમાં રહીને ભગવાનના દર્શન કરીને સહયોગ આપ્યો હતો. વડોદરા શહેરના પોલીસ કમિશનરશ્રીના દિશા નિર્દેશો હેઠળ ટીમ વડોદરા પોલીસે ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.તેના પગલે નિર્ધારિત માર્ગ પર રથયાત્રા ખૂબ જ સરળતા થી પસાર થઈ હતી.