91 dead in Brazil floods and landslides: બ્રાઝિલમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી પરિસ્થિતિ વધુ ગંભીર બની, 91 ના મોત નીપજ્યા
91 dead in Brazil floods and landslides: રાજ્ય અને કેન્દ્ર સરકારના સેંકડો બચાવ કર્મી લાપતા લોકોને શોધવામાં કાર્યરત
નવી દિલ્હી, 31 મેઃ 91 dead in Brazil floods and landslides: બ્રાઝિલમાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા 91 થઈ ગઈ છે અને 24 થી વધારે લોકો લાપતા છે. ઉત્તરી બ્રાઝિલના પરનામબુકો રાજ્યના અધિકારીઓએ આ જાણકારી આપી છે. એક સરકારી નિવેદન અનુસાર રાજ્ય અને કેન્દ્ર સરકારના સેંકડો બચાવ કર્મી લાપતા લોકોને શોધવામાં કાર્યરત છે.
દેશના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પરનામબુકોની રાજધાની રિસીફ અને આસપાસના જબોઆતાઓ ડોસ ગ્વારરાપેસના વિસ્તારનુ સોમવારે હવાઈ સર્વેક્ષણ કરવામાં આવ્યુ. બાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા રાષ્ટ્રપતિએ કહ્યુ કે જમીન પર પરિસ્થિતિ એવી નથી કે હેલિકોપ્ટરને ઉતારી શકાય. બોલ્સોનારોએ કહ્યુ કે આપત્તિમાં જાનહાનિ થવાથી તેઓ દુખી છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
ગયા અઠવાડિયે પેર્નમબુકોમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે શુક્રવારે ભૂસ્ખલન થયુ. આનાથી પ્રાકૃતિક મુશ્કેલીઓથી ગ્રસ્ત પહાડીઓને ભારે નુકસાન પહોંચ્યુ. ક્ષેત્રીય વિકાસ મંત્રી ડેનિયલ ફરેરાએ કહ્યુ કે સરકાર તે નગર પાલિકાઓને ફંડ આપવામાં કાર્યરત છે જેમણે કટોકટી જાહેર કરી છે. તેમણે આવી મુશ્કેલીથી પીડિત શહેરો માટે ઉપલબ્ધ નવી ક્રેડિટ લાઇનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે જળવાયુ પરિવર્તન મોટા પ્રમાણમાં તીવ્ર વરસાદમાં યોગદાન આપે છે. જળવાયુ પરિવર્તન પર આંતરિક સરકારી પેનલે રેસિફના મહાનગરીય ક્ષેત્રને દુનિયાના સૌથી કમજોર શહેરોમાંનુ એક ગણાવ્યુ છે. નીચલુ મેટ્રો ક્ષેત્ર ત્રણ નદીઓના ડેલ્ટા પર સ્થિત છે, જેમાં પૂરના મેદાન અને ડઝન નહેરોનુ એક નેટવર્ક છે અને લગભગ 4 મિલિયન લોકોના અહીં ઘર છે.
આ પણ વાંચોઃ S.Jaishankar on a visit to Vadodara: વિદેશમંત્રી એસ.જયશંકરએ વડોદરા શહેર શી ટીમ કચેરીની મુલાકાત લીધી
