KL Rahul out of t20 series: કેએલ રાહુલ અને કુલદીપ યાદવ T20 સીરીઝથી બહાર, વાંચો શું છે કારણ?
KL Rahul out of t20 series: સિરીઝ માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને હવે કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી
સ્પોર્ટ્સ ડેસ્ક, 09 જૂનઃ KL Rahul out of t20 series: સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા બુધવારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ અને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ ઈજાના કારણે આખી સિરિઝનો ભાગ બની શકશે નહીં.
સિરીઝ માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને હવે કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
BCCIએ બુધવારે સાંજે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી. કેએલ રાહુલને કમરની જમણી બાજુએ ઈજા થઇ છે જ્યારે કુલદીપ યાદવને નેટમાં બેટિંગ કરતી વખતે તેના જમણા હાથમાં ઈજા થઈ હતી. આ કારણે બંને ક્રિકેટરોને સિરીઝમાંથી બહાર થવું પડ્યું છે.
આ પણ વાંચોઃ Grah parivart: બુધ અને શનિની ચાલમાં ફેરફાર, આ 4 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે
સીરિઝ માટે ભારતની T20I ટીમ:
ઋષભ પંત (C/W), હાર્દિક પંડ્યા (VC), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક (WK), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ , ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.