Ek Maa: સૌથી પહેલા કાંટો વાગ્યો હશે: રોનક જોષી ‘રાહગીર’

સૌથી પહેલા કાંટો વાગ્યો હશે,
પછી ફૂલનો સ્વાદ ચાખ્યો હશે.
શોરબકોરની વચ્ચે પણ એ,
સૂર સાંભળી ખુદ નાચ્યો હશે.
મંદિર મહાદેવ પૂજ્યા પછી,
પ્રસાદ મળતા એ ભાગ્યો હશે.
કંઈક કેટલી ઘટના બની,
ત્યારે નિંદરમાંથી જાગ્યો હશે.
દવા, દુઆ, દોરા ધાગા કરીને,
એક મા એ તને માંગ્યો હશે.
આ પણ વાંચો:- Swami ji ni vani part-43: ક્રોધનો ત્યાગ અતિ કઠિન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
