વેકેશનના ફોટો સો.મીડિયામાં શેર કરતા સેલેબ્રિટી પર અન્નુ કપૂરે(Annu Kapoor) આક્રોશ વ્યક્ત કર્યો, વાંચો કોણ કોણ ગયુ છે ફરવા અને શું કહ્યું અભિનેતાએ…!
બોલિવુડ ડેસ્ક, 25 મેઃ હાલમાં જ અન્નુ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડ સેલેબ્સની વેકેશનની તસવીરો અંગે વાત કરી હતી. કોરોનાકાળમાં ઘણાં સેલેબ્સ માલદીવ્સ ફરવા ગયા હતા અને તેમણે વેકેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. અન્નુ કપૂરે(Annu Kapoor) કહ્યું હતું કે જ્યારે દેશ કોરોના સામે લડતો હતો ત્યારે આ પ્રકારનો દેખાડો યોગ્ય નથી.
અન્નુ કપૂરે(Annu Kapoor) આવા સેલેબ્સ પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું, તમે ભૂખ્યા લોકોની સામે 56 ભોગની થાળી તૈયાર કરીને ખાઈ રહ્યાં છો. અમને ખબર છે કે તમે અફોર્ડ કરી શકો છો. તમે પૈસાદાર છો. અમને એ પણ ખબર છે કે તમારી પાસે સુંદર શરીર છે. આ ઉપરાંત તમે બીજી કઈ વસ્તુ બતાવી શકો છો? પણ દેખાડો કરો તે સારું લાગતું નથી. એક જર્મ ટર્મ છે, -‘kitsch’ એટલે કે આર્ટ ઈન બેડ ટેસ્ટ. જાણીતી હસ્તીઓએ ‘સંવેદનશીલ’ હોવું જોઈએ અને ‘સહાનુભૂતિ’ બતાવવી જોઈએ.
એપ્રિલ 2020માં અન્નુ કપૂરે(Annu Kapoor) આ અંગે સો.મીડિયામાં પણ પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, ‘હું વિનમ્રતાપૂર્વક તમામ અમીર તથા પ્રસિદ્ધ લોકોને અપીલ કરું છું કે વિદેશમાં રજાઓ મનાવો તેની તસવીરો પોસ્ટ ના કરો. મોટાભાગની દુનિયા કોરોનામાં સપડાયેલી છે. કોઈની બદદુઆ શા માટે લેવી.’ ઉલ્લેખનીય છે કે આ પહેલાં શ્રુતિ સેઠ, નવાઝુદ્દીન સિદ્દીકી સહિતના સેલેબ્સે માલદીવ્સ વેકેશનની તસવીરો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો…..