Daya Bhabhi will be seen again on TMKOC

Daya Bhabhi will be seen again on TMKOC: ફરી વાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળશે દયાભાભી, પ્રોડ્યુસર અસિત મોદીએ કન્ફર્મ કર્યું

Daya Bhabhi will be seen again on TMKOC: સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં જ કહ્યું હતું કે દર્શકોને સિરિયલમાં હવે દયાભાભીનું પાત્ર જોવા મળશે.

મનોરંજન ડેસ્ક, 24 મેઃ Daya Bhabhi will be seen again on TMKOC: ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 2017થી દયાભાભીનું પાત્ર જોવા મળ્યું નથી. ચાહકો જેઠાલાલ તથા દયાભાભીની જોડીને મિસ કરી રહ્યા છે. જોકે હવે ચાહકો માટે સારા સમાચાર છે. સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં જ કહ્યું હતું કે દર્શકોને સિરિયલમાં હવે દયાભાભીનું પાત્ર જોવા મળશે.

મીડિયા અહેવાલ પ્રમાણે, અસિત મોદીએ કહ્યું હતું કે તેમની પાસે હવે દયાબેનના પાત્રને પરત ના લાવવા માટે કોઈ કારણ નથી. ખરી રીતે તો છેલ્લા થોડા સમયમાં બધાએ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. 2020-21નું વર્ષ દરેક લોકો માટે મુશ્કેલ રહ્યું છે. જોકે હવે પરિસ્થિતિ સુધરતી જાય છે. 2022માં કોઈ પણ સારા સમયે દયાબેનના પાત્રને સિરિયલમાં પરત લાવવામાં આવશે. દર્શકોને ફરી એકવાર જેઠાલાલ તથા દયાભાભી પોતાના મીઠા ઝઘડાથી એન્ટરટેઇન કરશે.

આ પણ વાંચોઃ Hair Care Tips: વાળના મૂળમાં દુખાવો થાય છે? તો આ ઉપાયો અપનાવો, તમને રાહત મળશે

અસિત મોદીએ આગળ કહ્યું હતું કે તેમને ખ્યાલ નથી કે દિશા વાકાણી જ દયાબેન તરીકે પરત ફરશે. ટીમના દિશા વાકાણી સાથે હજી પણ સારા સંબંધો છે. જોકે હવે તેમના લગ્ન થઈ ગયા છે અને તેમને એક દીકરી છે. તેઓ પોતાની જવાબદારીમાં વ્યસ્ત છે. દરેકનું અંગત જીવન હોય છે, તેથી તે આ અંગે કમેન્ટ કરી શકે નહીં, પરંતુ દિશાબેન હોય કે નિશાબેન, ચાહકોને દયાબેન અચૂકથી જોવા મળશે એ નક્કી છે.

ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી છે. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી.

મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે આ અંગે દિશા વાકાણી કે મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી.

આ પણ વાંચોઃ Strawberry Drink: શું તમને પણ ગરમી માં રોટલી શાક ખાવા નું મન થતું નથી તો ટ્રાય કરી જોવો આ સ્ટ્રોબેરી ડ્રિન્ક

Gujarati banner 01