બોલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમાર(dilip kumar)ને લઇ મોટા સમાચાર,પત્ની સાયરા બાનુએ ચાહકોને પ્રાર્થના કરવા કહ્યું..
બોલિવુડ ડેસ્ક, 06 જૂનઃ બોલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમાર(dilip kumar)ને રવિવારના રોજ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. ડોક્ટર્સની દેખરેખ હેઠળ હાલ તેમની સારવાર ચાલી રહી છે. દિલીપ કુમાર(dilip kumar)ની પત્ની સાયરા બાનોએ જણાવ્યુ હતું કે, દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને તેના કારણે તેમને સવારે 8.30 કલાકે માહિમની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે એક નોન કોવિડ હોસ્પિટલ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી જ્યારથી દેશમાં શરૂ થઈ છે, ત્યારથી સાયરા બાનોએ દિલીપ કુમારને કોરન્ટીનમાં રાખ્યા છે. તે પુરેપુરી કાળજી રાખી રહ્યા છે. ત્યાં સુધી કે તેઓ એક ક્ષણ માટે પણ તેમનાથી અળગા થતાં નથી. સાથે જ તેઓ દિલીપ કુમાર(dilip kumar)ની હેલ્થને લઈને પણ સતત અપડેટ આપતા રહે છે.
આ પણ વાંચો…
આ મહિને આવી શકે છે બાળકોની સ્વદેશી વેક્સીન, Zydus-Cadilaની રસીના ત્રીજા ચરણનુ પરીક્ષણ પુરુ