અક્ષય કુમાર આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’(Film Pruthviraj) પર કરણી સેનાની નજર, જાણો આ કારણે વ્યક્ત કરી છે આપત્તિ
બોલિવુડ ડેસ્ક, 30 મેઃ અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’(Film Pruthviraj)ની જાહેરાત જ્યારથી થઇ છે, ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવુડમાં પદાર્પણ કરશે. પરંતુ ફિલ્મ હવે મુશ્કેલીમાં સપડાઇ ચુકી છે. બોલિવુડ ફિલ્મોને લઇ હંમેશા વિરોધ નોંધાતી કરણી સેનાની નજર ફિલ્મ પર છે. સંગઠને ફિલ્મના ટાઇટલને લઇ આપત્તિ વ્યક્ત કરી છે.
અક્ષયની આ ફિલ્મ(Film Pruthviraj) રાજા રાજપૂત પૃથ્વીરાજ ચોહાણના પર જીવન પર આધારિત છે. કરણી સેનાના યુવા વિંગના અધ્યક્ષ અને ફિલ્મમેકર સુરજીતસિંહ રાઠોડે જણાવ્યુ કે જ્યારે ફિલ્મ મહાન પૃથ્વીરાજ ચોહાણ પર આધારિત છે, તો તેઓ ફિલ્મનું ટાઇટલ ‘પૃથ્વીરાજ’ કેવી રીતે રાખી શકે છે. અમે ઇચ્છીએ છીએ કે ટાઇટલને તેમના આખા નામમાં બદલી દેવામાં આવે અને તેમને સન્માન આપવામાં આવે. કરણી સેનાએ ટાઇટલ બદલવાની સાથે-સાથે બીજી પણ શરતો રાખી છે.
કરણી સેનાની માંગ છે કે ફિલ્મની રિલીઝ પહેલા તેમના માટે ફિલ્મની સ્ક્રીનિંગ કરવામાં આવે. સુરજીતસિંહ રાઠોડે ચેતવણી આપતા જણાવ્યું કે જો તેઓ અમારી સલાહ નહીં માને તો, તેમને પરિણામ ભોગવવા પડશે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે અગાઉ ‘પદ્માવત’ દરમિયાન સંજય લીલા ભંસાલી સાથે શુ થયુ, તેની બધાને જાણ છે. જો આ વાત પર વિચાર નહીં કરવામાં આવે, તો આ ફિલ્મ(Film Pruthviraj)ના નિર્માતાઓને પણ તેના માટે તૈયાર રહેવુ જોઇએ. હવે કરણી સેના સાથે ફેન્સ પણ મેકર્સની પ્રતિક્રિયાની રાહ જોઇ રહ્યા છે. અક્ષય કુમારે વર્ષ 2019માં તેના જન્મદિવસે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ(Film Pruthviraj)માં અક્ષય કુમાર લીડ રોડમાં છે. જ્યારે માનુષી છિલ્લર ફિલ્મમાં પૃથ્વીરાજ ચોહાણની પત્ની સંયોગિતાની ભૂમિકા નિભાવશે. ફિલ્મનું ડાયરેક્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે અને આદિત્ય ચોપડા તેને પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
આ પણ વાંચો….