Goofy Paintal

Goofy Paintal passed away: મનોરંજન ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો, પ્રખ્યાત ટીવી સીરિયલ ‘મહાભારત’ના ‘શકુની મામા’નું થયું નિધન

Goofy Paintal passed away: ગૂફી પેન્ટલનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે: સૂત્ર

મનોરંજન ડેસ્ક, 05 જૂનઃ Goofy Paintal passed away: બીઆર ચોપરાની પ્રખ્યાત ટીવી સીરિયલ ‘મહાભારત‘માં શકુની મામાની મામાભૂમિકા ભજવનાર પ્રખ્યાત કલાકાર ગુફી પેન્ટલનું આજે નિધન થઇ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. જાણીતી અભિનેત્રી ટીના ઘાઈએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આ ખબરથી સમગ્ર સિનેમા જગતમાં શોકનું વાતાવરણ છે.

બીઆર ચોપરાના પ્રખ્યાત ઐતિહાસિક શો ‘મહાભારત‘ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ શોના દરેક પાત્રે ચાહકોના દિલમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું હતું. આ કલાકારોમાં ગૂફી પેન્ટલનું નામ પણ સામેલ છે. આ શોમાં ગૂફી પેન્ટલે શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. આજે પણ જ્યારે પણ શકુની મામાના અભિનયની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં ગૂફી પેન્ટલનું નામ આવે છે.

મીડિયા રિપોર્ટ મુજબ તેમની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી હતી. દરમિયાન, ગૂફી પેન્ટલના ભત્રીજા હિતને એક મીડિયા સંસ્થાને માહિતી આપતાં જણાવ્યું હતું કે ગૂફી પેન્ટલ, જેઓ વય-સંબંધિત અનેક બિમારીઓથી પીડિત હતા, તેમનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. હવે આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો સહિત સિનેમાના ઘણા સ્ટાર્સ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ગૂફી પેઇન્ટલના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. આ અંતિમ યાત્રામાં સિને જગતના ઘણા દિગ્ગજ અને મોટા સ્ટાર્સ તેમની સાથે જોડાય તેવી અપેક્ષા છે. અભિનેતાની વિદાયને કારણે સિનેમા જગતમાં શોકની લહેર છે.

અભિનેતાની કારકિર્દી વિશે વાત કરીએ તો, અભિનેતા 1980ના દાયકામાં હિન્દી ફિલ્મો સિવાય કેટલીક ટીવી સિરિયલોમાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે એક્ટિંગની દુનિયામાં પગ મૂકતા પહેલા તે એન્જિનિયર હતા. અભિનેતાને બીઆર ચોપરાની સીરિયલ મહાભારતથી ઓળખ મળી હતી.

આ પણ વાંચો… Important decision of Guj CM: મુખ્યમંત્રીનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો