Kartik finally broke the silence: દોસ્તાના 2ને લઈ કરણ જોહર સાથેના વિવાદને લઇ, કાર્તિકે આખરે મૌન તોડ્યું- વાંચો શું કહ્યું?
Kartik finally broke the silence: કરણે કાર્તિકને તેના અનપ્રોફેશનલ વર્તનને કારણે ફિલ્મમાંથી હટાવી દીધો હતો
મનોરંજન, 06 મેઃ Kartik finally broke the silence: બૉલિવૂડ એક્ટર કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ `ભૂલ ભુલૈયા 2`ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે. તેની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન કાર્તિક આર્યેને કરણ જોહર સાથેના અણબનાવ અંગે પ્રથમ વખત તેનું મૌન તોડ્યું છે.
કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચેનો મતભેદ ગયા વર્ષે ચર્ચામાં હતો. ગયા વર્ષે કાર્તિક આર્યન અને કરણ જોહરની પ્રોડક્શન કંપની – ધર્મા પ્રોડક્શન્સ દોસ્તાના 2 માટે સાથે કામ કરી રહ્યા હતા. પરંતુ પાછળથી ધર્મા પ્રોડક્શન્સે જાહેરાત કરી કે તેઓ વ્યાવસાયિક સંજોગો અને સર્જનાત્મક સાથેના મતભેદોને કારણે દોસ્તાના 2નું ફરીથી શૂટ કરશે. જોકે, કરણ જોહર અને કાર્તિક આર્યન બંનેએ આ મામલે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણે કાર્તિકને તેના અનપ્રોફેશનલ વર્તનને કારણે ફિલ્મમાંથી હટાવી દીધો હતો. અહેવાલોમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે કાર્તિક આર્યનની દોસ્તાના 2 માં તેની કો-સ્ટાર જાહ્નવી કપૂર સાથે ઝઘડો થયો હતો, જેના કારણે તેઓ જાન્યુઆરીથી એકબીજા સાથે વાત કરતા ન હતા. જો કે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
જ્યારે કાર્તિક આર્યનને પૂછવામાં આવ્યું કે તે નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી છે, તો તમારા જેવા કલાકારને મોટા બેનરમાંથી હટાવી દેવાની તમને કેવી અસર થાય છે, આના પર કાર્તિક આર્યનએ કહ્યું, “આના પર હું એટલું જ કહેવા માંગુ છું કે હું ફક્ત મારા કામ પર ધ્યાન આપું છુ.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઉદ્યોગના આંતરિક લોકો તેમના માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે? જેના જવાબમાં કાર્તિક આર્યને કહ્યું, “કોઈની પાસે આ માટે સમય નથી.”