Ambaji murder

Murder at Chikhala village: યાત્રાધામ અંબાજી નજીક ચિખલા ગામે યુવક ની હત્યા; સમગ્ર પંથક માં ચકચાર

Murder at Chikhala village: યાત્રાધામ અંબાજી નજીક ચિખલા ગામે એક 22 વર્ષીય યુવક ની હત્યા કરી દેવાતા સમગ્ર પંથક માં ચકચાર

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 08 મે:
Murder at Chikhala village: બનાવ ની હકીકત એવી છે કે ગત્તરાત્રી એ રાણપુર નાં સુરમાભાઇ પરમાર તથા તેના પરીવાર સાથે તેના પિતરાઇ બહેન નાં લગ્ન માં ચિખલા ગામે આવેલ જ્યાં સુરમાભાઇ પરમાર નાં પિતરાઇ ભાઇઓ એ ચપ્પા નાં ઘા સુરમાભાઈ મારી હત્યા કરી દેવાતા સમગ્ર લગ્નપ્રંસગ માતમ માં ફેરવાયો હતો. જ્યાં ચિખલા ગામે લગ્ન માં સુરમાભાઇ તેના પિતરાઇ ભાઇ ખીમાભાઇ પરમાર ને મળ્યો હતો.

પણ તેને પિતરાઇ ભાઇ હોવા છતાં ઓળખવાનો ઇન્કાર કરી તેનું ગળું પકડી લેતાં મામલો બિચક્યો હતો. જ્યાં એક તરફ લગ્ન નાં ગીતો ગવાતા હતા. ત્યાં સુરમાભાઇ નાં ત્રણ પિતરાઇ ભાઇઓ સુરમાભાઇ ને ફોસલાવી પોતાના ઘર ની પાછળ લઇ જઇ સુરમાભાઇ ને પીઠ નાં ભાગે ચપ્પા નાં ઘા મારી તેની હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

Murder at Chikhala village

જ્યાં ચપ્પા નાં ઘા થી ઇજાગ્રસ્ત બનેલો સુરમાભાઇ તરફડીયા મારતો ઘર આગળ જ તેનું મોંત નિપજ્યુ હતુ. જ્યાં સમગ્ર લગ્ન પ્રસંગ માતમ માં ફેરવાતાં દોડધામ મચી હતી. ને આ બાબત ની જાણ અંબાજી પોલીસ ને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો ને મરનાર સુરમાભાઇ પરમાર નાં મૃતદેહ ને અંબાજી ની જનરલ હોસ્પીટલ માં લાવી તેનાં પોસ્ટમાર્ટમ ની તજવીજ હાથ ધરી હતી. ને આજે આદીવાસી સમાજ નાં અનેક લોકો મહીલાઓ સહીત અંબાજી ની જનરલ હોસ્પીટલ ખાતે પહોંચી મૃતદેહ નો કબજો મેળવ્યો હતો ને સમગ્ર મામલે અંબાજી પોલીસ માં ફરીયાદ આપતાં મરનારની માતા ને બહેનોએ પોતાના નિવેદન નોંધાવ્યા હતા ને જણાવ્યુ હતુ કે આ હત્યા જમીન મામલે કરાઇ હોવાનું જણાવી આરોપીઓ ને સજા કરવાની માંગ કરી હતી.

જોકે આ સમગ્ર મામલે અંબાજી પોલીસ સ્ટેશન માં હત્યા ની ફરીયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીઓ ને પકડી પાડવાં શોધખોળ હાથ ધરી છે. એટલુંજ નહીં આ હત્યા નાં ગુન્હા બાબતે પોલીસ અધીકારીએ મીડીયા સમક્ષ કાઇપણ કહેવાનું ઇન્કાર કર્યુ હતુ.

આ પણ વાંચો..Anand mahindra gift to idli amma: આનંદ મહિન્દ્રાએ 1 રૂપિયામાં ઈડલી વેચતા ‘ઈડલી અમ્મા’ને આપી ખાસ ભેટ, 3 વર્ષ પહેલા કર્યો હતો વીડિયો શેર

Gujarati banner 01