Suicide in Porbandar

Suicide in Porbandar: પ્રેમ સંબંધ બાંઘ્યા બાદ યુવાને લગ્ન નહીં કરતાં પરિણીતાએ આપઘાત કરી લીધો

Suicide in Porbandar: પોરબંદરમાં પ્રેમ સંબંધ બાંઘ્યા બાદ યુવાને લગ્ન નહીં કરતાં પરિણીતાએ આપઘાત કરી લીધો

પોરબંદર, 27 જુલાઈ: Suicide in Porbandar; કહેવાય છે કે પ્રેમ આંધળો છે તે કહેવતને સાર્થક કરતો એક કિસ્સો પોરબંદરમાં પ્રકાશમાં આવ્યો છે. પોરબંદરનાં ગાયવાડી વિસ્તારમાં રહેતા એક યુવાને પરિણીતા સાથે પ્રેમ સંબંધ બાંઘ્યો હતો અને તેમને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી.પરંતુ યુવાને લગ્નની ના પાડી દેતા પરિણીતાને લાગી આવ્યું હતું અને તેમને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે. 

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરનાં બોખીરા કે.કે.નગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનામાં રહેતી પરિણીતા સાથે યુવાન પ્રશાંત કનુભાઇ કોટીયાએ પ્રેમ સંબંધ બાંઘ્યો હતો. અને આ પરિણીતાને લગ્ન કરશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. સાથે લગ્ન કરશે પરંતુ પ્રશાંતે લગ્ન નહીં કરતાં પરણિતાને લાગી આવ્યું હતું. ર૭મી જુલાઇનાં રોજ પરણિતાએ પોતાના જ ઘરે પંખા સાથે ચુંદડી બાંધી અને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ પરણિતાના (Suicide in Porbandar) પરિવારજનોને થતાં તેઓ તાત્કાલીક દોડી ગયા હતાં અને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરનાં તબીબે પરણિતાને મૃત જાહેર કર્યા હતાં. આ બનાવ અંગે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રશાંત કનુ કોટીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો..Sabar Dairy Powder Plant: સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ

Gujarati banner 01