congress protest bhavnagar

Congress nyay yatra: ભાવનગર કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા યોજવામાં આવી

Congress nyay yatra: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોરોનામાં મૃત્યુ પામેલા લોકો ના પરિવારજનોને મળી ને સંવેદના વ્યક્ત કરી હતી.

અહેવાલ: અનિલ વનરાજ
ભાવનગર , ૨૮ ઓગસ્ટ
: Congress nyay yatra: ગુજરાત સરકાર કોરોનાનાં કપરા સમયમાં ભલે ઓક્સિજન નહીં મળવા થી લોકો ના મોત થયા છે તેવો દાવો કરતી હોઈ પરંતુ ગુજરાતમાં કોરોનાનાં સમયમાં 2 લાખ થી વધુ લોકો અને ભાવનગર માં 10 હજાર થી વધુ લોકોનાં મોત થયા છે તેવો આક્ષેપ આજે ન્યાય યાત્રામાં ભાગ લેવા આવેલા ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા નક્કી થયેલા કાર્યક્રમ મુજબ આજે (Congress nyay yatra) ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા કોરોના ના સમયમાં બનેલી ઘટનામાં લોકો ને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં મુજબ આજે ભાવનગર શહેર અને જિલ્લામાં ન્યાય યાત્રા યોજવામાં આવી હતી.

આ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડ અને શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદ થી સીધા પહેલા વરતેજ ગામે જિલ્લા ની યાત્રામાં જોડાય હતા અને બાદ માં તેઓ ભાવનગર ખાતે આવી પહોચીયા હતા અહીં તેમણે કોરોનામાં મૃત્યુ પામેલા લોકો ના પરિવારજનોને મળી ને સંવેદના વ્યક્ત કરી હતી.

Zaverchand Meghani birth anniversary: જામનગરવાસીઓને લાગ્યો કસુંબીનો રંગ

અમિત ચાવડાએ જણાવ્યા હતું કે કોરોનાનાં સમયમાં સરકાર સદંતર નિષ્ફ્ળ રહી હતું કોરોનાનાં કપરા સમયમાં લોકો ને હોસ્પિટલમાં બેડ નહીં મળવા, ઓક્સિજન નહીં મળવા જેવી અનેક ક્ષતિઓ બહાર આવી હતી અને હવે ભાજપ આશીર્વાદ યાત્રા કઢે છે તે વ્યાજબી નથી.

Whatsapp Join Banner Guj