Kanchan ship rescue

Indian Coast Guard Kanchan rescue: ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં સંકટમાં ફસાયેલા એમવી કંચનના 12 ક્રૂને બચાવ્યા

Indian Coast Guard Kanchan rescue: આઇસીજીના એમવી હર્મીઝ દ્વારા એક ઓપરેશનમાં તમામ 12 ક્રૂને બચાવાયા સહાય માટે વધુ આઈસીજી જહાજોને તૈનાત કરવામાં આવ્યા.

  • ખરાબ હવામાન વચ્ચે વીજળી ન હોવાને કારણે એમવી કંચન ફસાયું

અમદાવાદ , ૨૨ જુલાઈ: Indian Coast Guard Kanchan rescue: ભારતીય તટરક્ષક દળે 21 જુલાઈ, 2021ના રોજ ગુજરાતના ઉમરગામમાં ફસાયેલા મોટર વેસેલ (એમવી) કંચનના તમામ 12 ક્રૂને બચાવવા માં આવ્યા. મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (એમઆરસીસી) મુંબઇને 21 મી જુલાઈ, 2021ના ​​બપોરે ડી.જી. કમ્યુનિકેશન સેન્ટર, મુંબઇ પાસેથી માહિતી મળી કે એમવી કંચન બળતણનું દૂષિત થવાને કારણે ફસાયેલું છે, જેના કારણે એન્જિન કામ નથી કરી રહ્યું અને ખરાબ હવામાનની સ્થિતિને લીધે ત્યાં કોઈ વીજળી નથી. મોડી સાંજે જહાજના માલિકે જાણ કરી કે એમવી કંચન, સ્ટીલના કોઇલને કાર્ગો તરીકે લઈ જઈ રહ્યું હતું, એન્કર નીચે ઉતરી ગયું અને સ્ટારબોર્ડ (જમણી બાજુ) તરફ ઝુકી રહ્યું હતું.

BSM Gujarat: ભારતીય શિક્ષણ મંડળની અમદાવાદ શહેર કાર્યકારિણીના સભ્યોની નિમણૂક

એમઆરસીસી મુંબઇએ તુરંત જ ઇન્ટરનેશનલ સેફ્ટી નેટ (આઈએસએન) ને સક્રિય કર્યું (Indian Coast Guard Kanchan rescue) અને એમવી હર્મીઝને તુરંત વ્યથિત જહાજ તરફ વાળવામાં આવ્યું. ઉબડ-ખાબડ સમુદ્રને પાર કરતા એમવી હર્મીઝે રાત્રિના એક ઓપરેશનમાં એમવી કંચનનાં તમામ 12 ક્રૂને સુરક્ષિત બહાર કાઢ્યા.

Whatsapp Join Banner Guj

ડી.જી. શિપિંગ, મુંબઇ દ્વારા ફસાયેલા જહાજને મદદ કરવા માટે ઇમર્જન્સી ટોઈંગ વેસલ (ઇટીવી) વોટર લિલી પણ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, વહાણના માલિકો દ્વારા વહાણને સહાય આપવા માટે બે ટગ ગોઠવવામાં આવી છે.