Encounter

J&K Encounter: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં આટલા આતંકીઓને ઠાર માર્યો

J&K Encounter: માર્યા ગયેલા બે આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવ્યા

શ્રીનગર, 16 સપ્ટેમ્બરઃ J&K Encounter: સુરક્ષાદળોએ જવાનોની શહીદીનો બદલો લીધો છે. સેનાએ શનિવારે કાશ્મીરના બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા બે આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્રીજા આતંકીનો મૃતદેહ બોર્ડર પાસે છે.

સવારે ઉરી-હથલંગામાં આતંકવાદીઓ જોવા મળ્યા બાદ આર્મી-પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આ એ જ વિસ્તાર છે જ્યાં સુરક્ષા દળોએ ડિસેમ્બર 2022માં એક મોટા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ એક ગુફામાંથી હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો.

નોંધનીય છે કે, છેલ્લા 6 દિવસમાં આ ત્રીજું એન્કાઉન્ટર છે. 11 સપ્ટેમ્બરે રાજૌરીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 1 જવાન શહીદ થયો હતો. અનંતનાગના કોકરનાગ જંગલમાં 13 સપ્ટેમ્બરથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 4 જવાનો શહીદ થયા છે. અહીં આતંકવાદીઓની શોધ ચાલી રહી છે.

આ પણ વાંચો… Arjun Kapoor in Singham Returns: સિંઘમ રિટર્ન્સમાં વિલન તરીકે આ અભિનેતાની થઈ પસંદગી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો