Raj thakare Yogi

Raj Thackeray tweet: રાજ ઠાકરેએ ટ્વીટ કરીને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીનાથના બાંધ્યા તારીફોના પુલ… જાણો વિગત

Raj Thackeray tweet: યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળો પર રહેલા ગેરકાયદે ભૂંગળાઓ હટાવવાનો આદેશ આપ્યો છે

અમદાવાદ, 29 એપ્રિલ:Raj Thackeray tweet: ધાર્મિક સ્થળો પર હનુમાન ચાલીસાપાઠ કરવાનો અને મસ્જિદો પર વાગતા લાઉડ સ્પીકર હટાવવાનો મુદ્દો ચગાવનાર એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ હવે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગીનાથના વખાણ કરતી સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી હિંદુત્વ, હનુમાન ચાલીસા અને ધાર્મિક સ્થળ પર વાગતા લાઉડસ્પીકરનો મુદ્દો ભારે ગાજી રહ્યો છે. પૂરા વિવાદને ઉભો કરનારા પણ રાજ ઠાકરે છે. હવે રાજ ઠાકરે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે રહેલા લાઉડસ્પીકર સામે લીધેલા પગલાં ના વખાણ કરતી (Raj Thackeray tweet) ટ્વીટ કરી છે.

Raj Thackeray tweet

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી છે. યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળો પર રહેલા ગેરકાયદે ભૂંગળાઓ હટાવવાનો આદેશ આપ્યો છે અને અત્યાર સુધી મોટી સંખ્યામાં ધાર્મિક સ્થળો ખાસ કરીને મસ્જિદો પર ગેરકાયદે વાગતા ભુંગળા હટી ગયા છે. 

સોશિયલ મીડિયા પર તેમની ફરી રહેલી ટ્વિટમાં (Raj Thackeray tweet) તેમણે લખ્યું છે કે “ઉત્તર પ્રદેશના ધાર્મિક સ્થળ પરના ખાસ કરીને મસ્જિદ  પરના ભૂંગળા ઉતારવા બદલ સરકારનો મન પૂર્વક આભાર.  અમારી પાસે મહારાષ્ટ્રમાં કોઈ “યોગી“ નથી. ફક્ત સત્તાના “ભોગી“ છે.  મહારાષ્ટ્ર સરકારને સદબુદ્ધિ મળે. એ જ અમારી મા જગદંબા ચરણોમાં પ્રાર્થના.“

આ પણ વાંચો..Special coincidence of Lord shiva: આજે માસિક શિવરાત્રિ અને 30 એપ્રિલે શનિશ્ચરી અમાસના દિવસે કરો શિવપૂજા, તમારી પરેશાનીઓ થશે દૂર

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *