18 ફેબ્રુઆરી સુધી યોગનગરી (Rishikesh – Ahmedabad) ઋષિકેશ – અમદાવાદ સ્પેશિયલ રૂપાંતરિત માર્ગથી આવશે
18 ફેબ્રુઆરી સુધી યોગનગરી (Rishikesh – Ahmedabad) ઋષિકેશ – અમદાવાદ સ્પેશિયલ રૂપાંતરિત માર્ગથી આવશે
અમદાવાદ,૧૧ ફેબ્રુઆરી: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ – મહેસાણા સેક્શનના કલોલ – જુલાસન – ડાંગરવા સ્ટેશનો વચ્ચે નોન ઈંટરલોકિંગ કાર્યને કારણે ટ્રેન નંબર 09032 યોગનગરી ઋષિકેશ – અમદાવાદ સ્પેશિયલ 18 ફેબ્રુઆરી 2021 સુધી તેના નિર્ધારિત માર્ગ મહેસાણા – કલોલ – ગાંધીનગર – સાબરમતી (ધર્મનગર બાજુ) ના સ્થાને રૂપાંતરિત માર્ગ મહેસાણા – વિરમગામ – સાબરમતી (જેલ તરફ) થઈને આવશે તથા સાબરમતી જંકશન (જેલ તરફ) સ્ટેશન પર રોકાશે.
મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા માટે વિનંતી.
આ પણ વાંચો…