Kuber Bhandari temple open to devotees: કરનાળી માં અમાવસે કુબેર ભંડારી નું મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૩૦ જાન્યુઆરીઃ Kuber Bhandari temple open to devotees: કરનાળી માં આવેલું દાદા કુબેર ભંડારી નું મંદિર આગામી તારીખ 01 ફેબ્રુઆરી ના મંગળવાર ના રોજ અમાવસ ના દર્શન ચાલુ રહેશે સરકાર ની sop અને કોરોના ની ગાઈડલાઈન સાથે કુબેર ભંડારી જી નું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવા કુબેરેશ્વર ટ્રસ્ટ કરનાળી એ પોતાની સહમતી દર્શાવી છે
આ મંદિર અમાવસ્ય હોવાથી દર્શન નો સમય સવારે 4 વાગ્યા થી રાત્રી ના 8 કલાક સુધી ખુલ્લું રહેશે જેમાં દર્શનાર્થીઓ દર્શન નો લાભ લઇ શકશે પણ કોઈ પણ પ્રસાદ ચડાવી શકશે નહી અને નિજ મંદિર માં પ્રવેશ પણ બંધ રહેશે યાત્રિકો એ સોસીયલ ડીસ્ટંટ સાથે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે
કુબેર ભંડારી દાદા ના દર્શન કર્યા પછી મંદિર પરીષર માં બેસી શકાશે નહી, હાલ પ્રવર્તમાન પરિસ્થિતિ ને લઇ અમાવસ નો ભંડારો (જમણવાર)આ અમાવસ પુરતું બંધ રાખેલ હોવાનું પુજારી રજનીભાઈ પંડ્યા એ જણાવ્યું છે.