The benefits of steamed peanuts

The benefits of steamed peanuts: પલાળી મગફળી બદામ કરતાં પણ વધારે ગુણકારી, જાણો તેના સ્વાસ્થ્ય લાભ

The benefits of steamed peanuts: મગફળીમાં કાર્ડિઓપ્રોટેક્ટિવ એક એવો ગુણ છે જે હૃદય સાથે જોડાયેલી બીમારીઓના ખતરાને અનેક ગણો ઓછો કરી દે છે અને તમારું હૃદય સ્વસ્થ રીતે પોતાનું કાર્ય સંપન્ન કરે છે

હેલ્થ ડેસ્ક, 02 ઓક્ટોબરઃ The benefits of steamed peanuts: ડ્રાયફ્રુટની બાબતમાં મગફળી એક એવું સ્થાન રાખે છે જે ખૂબ જ સરળતાથી તમને ઓછી કિંમતમાં મળી જાય છે. અન્ય ડ્રાયફ્રુટ ની સરખામણીમાં તેનો પ્રયોગ અલગ અલગ પ્રકારના પકવાન બનાવવામાં પણ કરવામાં આવે છે. ત્યારે મગફળીનું સેવન જો રાતના સમયે પલાળીને સવારે ઉઠીને કરવામાં આવે તો તેનાથી ઘણા ઉત્તમ સ્વાસ્થ્ય ફાયદા જોવા મળી શકે છે. તો આવો તેના ફાયદાઓ વિશે જાણીએ, જે મગફળીને પલાળીને સેવન કર્યા બાદ થાય છે.

  • મગફળીમાં એવા ગુણ મળી આવે છે જે હ્રદય સાથે જોડાયેલી ઘણા પ્રકારની બીમારીઓથી પણ સુરક્ષા પ્રદાન કરે છે. વૈજ્ઞાનિક અધ્યયનનું પણ માનવું છે કે મગફળીમાં કાર્ડિયોપ્રોટેક્ટિવ ગુણ મળી આવે છે. જેના કારણે જે લોકો નિયમિત રૂપથી કાર્ડિયોપ્રોટેક્ટિવ વાળા સ્ત્રોત ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે, તેઓ પોતાની ડાયટમાં મગફળીને પણ સામેલ કરી શકે છે. કાર્ડિઓપ્રોટેક્ટિવ એક એવો ગુણ છે જે હૃદય સાથે જોડાયેલી બીમારીઓના ખતરાને અનેક ગણો ઓછો કરી દે છે અને તમારું હૃદય સ્વસ્થ રીતે પોતાનું કાર્ય સંપન્ન કરે છે.
  • ઘણા પ્રકારના ડ્રાયફ્રુટનું સેવન કરવાથી મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. વળી મગફળીમાં ઓમેગા-૩ ફેટી એસિડ મળી આવે છે. આ એક એવું ફેટી એસિડ છે જે મગજની કાર્યક્ષમતાને વધારવાનું કાર્ય કરે છે. એટલા માટે જો તમારા ઘરમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તો તેમને દરરોજ સવારે પલાળેલી મગફળીનું નિયમિત રૂપથી સેવન કરાવવું જોઇએ. તે તેમની યાદ કરવાની ક્ષમતા ઉપર પણ સકારાત્મક અસર કરે છે.

આ પણ વાંચોઃ Pitru Paksha ekadashi: આજે પિતૃ પક્ષ શનિવાર અને એકાદશી, શનિદેવ અને પિતૃઓ માટે શુભ કામ કરવાનો શુભ યોગ

  • દરેક વ્યક્તિ પોતાની ચામડીને ચમકદાર અને મેન્ટેન રાખવા માટે ઘણા પ્રકારની અલગ અલગ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. વળી પલાળેલી મગફળીનું સેવન કરતા લોકોને પણ ચામડી સંબંધી ઘણા પ્રકારના ફાયદા મળી શકે છે. હકીકતમાં મગફળીમાં એન્ટીઓક્સીડેન્ટ ની માત્રા મળી આવે છે. જેના કારણે જો તમે સવારે તેનું સેવન કરો છો તો દિવસભર તમારી ત્વચામાં તાજગી જાળવી રાખવાનું કામ કરે છે.
  • ફાઇબર એક એવું તત્વ છે જે પાચનક્રિયાને યોગ્ય રીતે ચલાવવા માટે અતિ આવશ્યક પોષક તત્વ છે. એટલા માટે ફાઇબર સ્ત્રોત વાળા ખાદ્ય પદાર્થોને નિયમિત રૂપથી ભોજનમાં સામેલ કરવા જોઇએ. તેના માટે મગફળીને પણ પોતાની પ્લેટમાં તમે જગ્યા આપી શકો છો. તેમાં ફાઇબર પોષક તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. તેનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે અને તમે પેટ સાથે જોડાયેલી ઘણા પ્રકારની સમસ્યાઓ જેમ કે કબજિયાત અને પેટમાં દુખાવાથી બચી શકો છો.
  • બોડી બિલ્ડિંગ કરતા પુરુષોએ દરરોજ સવારે ઊઠીને પલાળેલી મગફળીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં પ્રોટીનની પર્યાપ્ત માત્રામાં મળી આવે છે, જે બોડી બિલ્ડર્સ માટે પ્રોટીનની પૂર્તિ કરશે, જેનાથી તેમને બોડી બિલ્ડિંગ કરવામાં ખુબ જ સરળતા થશે.

આ પણ વાંચોઃ Payment without internet: વગર ઈંટરનેટ Google Pay, PhonePe, Paytm થી આ રીત કરી શકો છો લેણદેણ – વાંચો વિગત

Whatsapp Join Banner Guj