Changes in the timing of Darshan and Aarti at Ambaji Temple: અંબાજી મંદિરમાં અષાઢી બીજ થી દર્શન અને આરતી ના સમય માં ફેરફાર
Changes in the timing of Darshan and Aarti at Ambaji Temple: અંબાજી મંદિર માં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજ થી બે વખત જ કરવા માં આવશે
Changes in the timing of Darshan and Aarti at Ambaji Temple: સવારે મંદિર 10.45 કલાકે બંધ થતો હતો તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો અને માતાજી ની સાતે દિવસ ની સવારી નાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શન નો લાભ મળશે
- અંબાજી મંદિરમાં દર્શન અને આરતી ના સમય માં ફેરફાર
- અષાઢી બીજ ના દિવસે પવિત્ર માનસરોવર માં નવા નીર ના વધામણા પણ કરવામાં આવશે
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 27 જૂન: Changes in the timing of Darshan and Aarti at Ambaji Temple: અંબાજી યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર માં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્ત ના સમય માં ફેરફાર થવા થી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓ ની સગવડ અને સરળતા થી દર્શન થઈ થકે તેવી સગવડ માંટે અંબાજી મંદિર માં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજ થી દર્શન અને આરતી ના સમય માં ફેરફાર કરવા માં આવ્યો છે તેમજ હવે પછી અંબાજી મંદિર માં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજ થી બે વખત જ કરવા માં આવશે
બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતી ના સમય માં પણ ફેરફાર થશે સવારે મંદિર 10.45 કલાકે બંધ થતો હતો તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે અને માતાજી ની સાતે દિવસ ની સવારી નાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શન નો લાભ મળશે. અષાઢીબીજ થી દર્શન નો સમય આ પ્રમાણે નક્કી કરવા માં આવેલ છે એટલુજ નહી અષાઢી બીજ ના દિવસે પવિત્ર માનસરોવર માં નવા નીર ના વધામણા પણ કરવામાં આવશે તેમ દેવાંગભાઈ ઠાકર ( ભટ્ટજી મહારાજ,મંદિર ) અંબાજી એ જણીવ્યુ હતુ
આ પ્રમાણે રહેશે અષાઢી બીજ થી દર્શન આરતીનો સમય(Changes in the timing of Darshan and Aarti at Ambaji Temple)
- આરતી સવારે – 7.30 થી 8.00
- દર્શન સવારે – 8.00 થી 11,30
- બપોરે આરતી બંધ કરવા માં આવી છે
- બપોરે દર્શન – 12.30 થી 16.30
- સાંજે આરતી -19.00 થી 19.30
- દર્શન સાજે – 19.30 થી રાત્રી ના 21.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે
આ પણ વાંચો..Alia bhatt pregnant: બોલીવુડનું આ કપલ હવે બનવા જઈ રહ્યું મમ્મી-પાપા, ચાહકોને આપી ખુશખબર