તમારા બેન્ક ખાતાના પૈસા ભૂલથી બીજાના ખાતામાં ટ્રાન્સફર(Sent money to wrong account) થઈ જાય તો શું કરવું? વાંચો આ મહત્વપૂર્ણ માહિતી
Sent money to wrong account: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ આવી ભૂલો માટે માર્ગદર્શિકા બનાવી છે જેના મુજબ બેંક અને ગ્રાહકે આ માર્ગદર્શિકાને અનુસરવું
કામની વાત, 04 એપ્રિલઃ અત્યારે ઈન્ટરનેટની દુનિયામાં આપણે બધાજ લોકો પૈસાની લેવડદેવડ ઓનલાઈન કરતા હોય છે પરંતુ ઘણીવાર એવુ થાય છે કે આ પૈસાની ઓનલાઈન(Sent money to wrong account) લેવડદેવળના સમયે આપણી ભુલથી કોઈ નજીકની વ્યક્તિના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દઇએ છે તો આવી પરિસ્થિતિમા આપણને કઇ સમજાતુ નથી કે આપણે શુ કરવુ જોઇએ? તો આવી ભુલો(Sent money to wrong account) આપણાથી કોઈ બીજાનાથી મળેલી ખોટી બેંકની જાણકારી અથવા ઉતાવળ કરવાથી થાય છે. ઉલ્લેખનીય છે કે, આવી સ્થિતિથી ગભરાવવાની જરુર નથી તમને તમારા પૈસા સરળતાથી પાછા મળી શકે છે પરંતુ તેના માટે ખબર હોવી જોઇએ કે તમારે શુ કરવુ?
ઇન્ટરનેટ બેંકિંગે આપણા બેંકનું કામ ખૂબ જ સરળ બનાવ્યું છે હવે ઓનલાઇન કેશ ટ્રાન્સફરને બેંક અથવા એટીએમ લાઇનમાં રોકડ મૂકવા અને તેને કોઈ બીજાને આપવા કરતાં વધુ સારું માનવામાં આવે છે અને તે સમયની બચતની સાથે સલામત છે. ઓનલાઇન બેંકિંગે આપણું જીવન સરળ બનાવ્યું હોવાથી આપણે પણ જાગ્રત રહેવાની જરૂર છે. કારણ કે આ પ્લેટફોર્મ પર કોઈ આપણે કરેલી એક ભૂલ ભારે પડી જાય છે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર(Sent money to wrong account) કરે છે અને આ મોટે ભાગે ખોટો એકાઉન્ટ નંબર દાખલ કરવાને કારણે થાય છે. આવી સ્થિતિમાં તેઓ સમજી શકતા નથી કે શું કરવું અને શું ન કરવું પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ આવી ભૂલો માટે માર્ગદર્શિકા બનાવી છે જેના મુજબ બેંક અને ગ્રાહકે આ માર્ગદર્શિકાને અનુસરે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના નિયમો અનુસાર બેંકોની માર્ગદર્શક સંસ્થા છે જો કોઈ એકાઉન્ટ ધારક આકસ્મિક રીતે બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે તો આવી સ્થિતિમાં ખાતા ધારકે તાત્કાલિક સંબંધિત બેંકને જાણ કરવી જોઈએ કારણ કે તેમના ખાતા ધારકના પૈસા પાછા મેળવવા એ બેંકની જવાબદારી હોય છે.
જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર કર્યા પછી ગ્રાહકે સૌ પ્રથમ કસ્ટમર કેયરને કોલ કરવો જોઈએ અને બેંકને જાણ કરવી જોઈએ અથવા સીધુ બેંક શાખામાં જવું જોઈએ અને સંબંધિત વ્યવહારની જાણ કરવી જોઈએ અને તમારે બેંક અધિકારીઓને કહેવું પડશે કે ભૂલથી તમારા પૈસા કોઈ બીજાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ પછી બેંક તે વ્યક્તિનો સંપર્ક કરે છે અને તેમને જાણ કરે છે કે ભૂલથી તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જે પછી તે ડીડીકટ કરવામાં આવે છે અને આ રીતે તમારા પૈસા પાછા મળે છે જો એકાઉન્ટ ધારક અને રીસીવરની બેંક એક છે તો રિફંડ તરત જ કરવામાં આવશે અને જો ત્યાં કોઈ અલગ બેંક હોય તો તેને બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે.
આ સાથે એક મોટો સવાલ એ પણ છે કે જો રીસીવર એટલે કે જે વ્યક્તિ જેના ખાતામાં તમારાથી ભુલથી પૈસા જમા કરવામાં આવ્યા હતા તો તે પૈસા પાછા આપવાની ના પાડે તો શું થશે? આવી સ્થિતિમાં ચિંતા કરવાની કંઈ જરુર નથી તેમા થોડો સમય લાગી શકે છે પરંતુ તમારા પૈસા તમારા ખાતામાં પરત કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ પૈસા પાછા આપવાનો ઇનકાર કરે છે, તો તમે તેની સામે કેસ દાખલ કરીને કંજ્યુમર કોર્ટ જઇ શકો છો અને આ કાનૂની કાર્યવાહીમાં સમય લાગશે પરંતુ આવી સ્થિતિમાં કોર્ટના આદેશના આધારે ખાતાધારક તમને બેંક પર દબાણ લાવીને પૈસા પરત કરવામાં મદદ કરશે.
આ પણ વાંચો….